પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કોરોના સામેની જંગ લડા માટે દેશના નાગરિકો પાસે રાહતફંડમાં ડોનેટ કરવાની અપીલ કરી છે. આ અપીલને ધ્યાને લઇને બોલિવૂડ, રમત ગમત સહિત અન્ય ક્ષેત્રોના નામી અનામી લોકો પ્રધાનમંત્રી રાહત ફંડમાં દિલ ખોલીને દાન આપી રહ્યા છે. અક્ષય કુમારે 25 કરોડનું દાન આપ્યું છે. ત્યારે હવે ફિલ્મ જગતના જાણીતા અદાકાર શાહરૂખ ખાને પણ કોરોના સામેની જંગમાં પોતાનું અનુદાન આપવાની જાહેરાત એક ટ્વીટ કરીને કરી હતી.
કોરોના સામેની જંગમાં શાહરૂખ ખાને આપ્યો ફાળો
ટ્વીટ કરીને આપી જાણકારી
લોકોએ કરી પ્રસંશા
શાહરૂખ ખાને પીએમ કેયર્સ ફંડમાં દાન આપવા ઉપરાંત અન્ય પણ સહાયનું એલાન કર્યું હતું. તેમની ફિલ્મ પ્રોડક્શન કંપની રેડ ચીલીએ ટ્વીટ કર્યું છે. આ ટ્વીટમાં લખ્યું છે: '
In these times it’s imp to make everyone around u working tirelessly for u.. not related to u.. perhaps even unknown to u... to feel they are not alone and by themselves. Let’s just make sure we all do our little bit to look after each other. India and all Indians are One Family. https://t.co/LWz4wQGaPe
1. કોલકાતા નાઈટ રાઇડર્સના કો-ઓનર શાહરૂખ ખાન, ગૌરી ખાન, જુહી ચાવલા મહેતા અને જય મહેતાએ પીએમ કેયર્સ ફંડમાં ફાળો આપવાનો સંકલ્પ કર્યો છે.
2. રેડ ચિલીના માલિક ગૌરી ખાન અને શાહરૂખ ખાને પણ મહારાષ્ટ્ર સીએમ રિલીફ ફંડમાં ફાળો આપવાનો સંકલ્પ કર્યો છે.
3. હેલ્થ કેયર વર્કર્સના સપોર્ટ અને સલામતી માટે 50,000 પર્સનલ પ્રોટેક્ટિવ સાધનો એટલે કે પી.પી.ઇ. નું યોગદાન.
4. મીર ફાઉન્ડેશનના સહયોગથી દરરોજ એક મહિના માટે મુંબઈના 5500 પરિવારોને ભોજન આપવાનો સંકલ્પ
5. ગરીબ અને રોજમદાન મજૂરોને એક મહિના સુધી ભોજનની કીટ આપવી.
6. એસિડ સર્વાઇવરની મદદ કરવી વગેરે.
શાહરૂખ ખાનના આ નિર્ણયની લોકોએ કરી પ્રશંસા
શાહરૂખ ખાને આ રીતે કોરોનાવાયરસ સાથેની લડાઈ માટે ઘણા મોટા એલાન કર્યા હતા. સોશિયલ મીડિયા પર તેમના આ પગલાની ખૂબ પ્રશંસા થઈ રહી છે. આપને જણાવી દઇએ કે, ગુરુવારે દેશમાં કોરોનાવાયરસના કેસો વધીને 1,965ને પાર થઈ ગયા છે અને અત્યાર સુધીમાં 50 લોકોનાં મોત નીપજ્યાં છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, દેશમાં હાલમાં 1,764 લોકો કોરોના વાયરસથી સંક્રમિત છે. જ્યારે 150 લોકો એવા છે કે જેમને સારવાર બાદ રજા આપવામાં આવી છે અથવા તો બીજા દેશોમાં જતા રહ્યા છે.