ગુજરાતના તબીબી જગતનો ઝળકતો સિતારો અનંતમાં વિલીન થઈ ગયો. આજે બપોરે બાર વાગ્યે ડો. એચ. એલ. ત્રિવેદીના પાર્થીવ દેહને દુધેશ્વર ખાતે અગ્નિદાહ અપવામાં આવ્યા છે.
કિડની ટ્રાન્સપ્લાન્ટના ભીષ્મપિતામહ ગણાતા ડો. એચ. એલ. ત્રિવેદીનું ગઈ કાલે 87 વર્ષની ઉંમરે નિધન થઈ ગયુ હતુ. આજે ડો. એચ. એલ. ત્રિવેદી પંચમહાભૂતમાં વિલીન થયા છે. દુધેશ્વર સ્મશાનગૃહ ખાતે તેમના પત્ની સુનિતા ત્રિવેદીએ અગ્નિદાહ આપ્યો હતો
મહત્વનું છે કે આજે સવારે 8થી 11 વાગ્યા સુધી તેમના પાર્થિવ દેહને દર્શન માટે કિડની હોસ્પિટલમાં રાખવામાં આવ્યો હતો. જ્યારે 12 વાગે દુધેશ્વર ખાતે અગ્નિસંસ્કાર કરવામાં આવશે. ડૉક્ટર ત્રિવેદી લાંબા સમયથી બિમાર હતાં. તેમજ તેઓ કિડની હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યાં હતાં.
ગરબી દર્દીઓના બેલી તરીકે ઓળખાતાં
રાજ્ય કે દેશમાં જ નહીં પરંતુ વિશ્વના કોઈ પણ દેશમાંથી કિડનીનો દર્દીઓ આવે એટલે અને કોઈ પણ વિટંબણામાં હોય એટલે સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં આવેલી એચ. એલ. ત્રિવેદી કિડની હોસ્પિટલ હંમેશા સાથે હોય. લાખો દર્દીઓને ઝીરો રૂપિયામાં ટ્રિટમેન્ટ કરનાર વિશ્વની એકમાત્ર હોસ્પિટલ છે.
વિશ્વની એકમાત્ર કિડની યુનિવર્સિટીના સ્થાપક હતા
વિશ્વમાં સમયાંતરે વધી રહેલાં કિડની અને લિવરના રોગો અને ફેલીયોર રેસિયો પર રિસર્ચ કરવાં અને કિડની દર્દીઓને નવજીવન આપવાં ડૉ એચ. એલ. ત્રિવેદીએ વિશ્વમાં સૌ પ્રથમ અને એકમાત્ર અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં કિડની યુનિવર્સિટીની સ્થાપના કરી હતી. જે આજે લાખો દર્દીઓને નવજીલન આપી રહી છે.
5 હજાર કિડની ટ્રાન્સપ્લાન્ટ કરી વિશ્વ રેકોર્ડ સ્થાપ્યો
વિશ્વમાં 5 હજાર કરતાં વધુ કિડનીના દર્દીઓની કિડની ટ્રાન્સપ્લાન્ટ કરવાનો વિશ્વ રેકોર્ડ ડૉ. ત્રિવેદીની હોસ્પિટલે પ્રસ્થાપિત કર્યો છે. ડૉ એચ એલ ત્રિવેદીને ભારત સરકારનું શ્રેષ્ઠ સન્માન પદ્મશ્રીથી સન્માનિત કરાયા છે.
મહત્વનું છે કે ડો. એચ. એલ. ત્રિવેદી નેફ્રોલોજિસ્ટ હતા. તેમના માર્ગદર્શન હેઠળ 5 હજારથી વધુ કિડની ટ્રાન્સપ્લાન્ટ થયાં હતાં. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ટ્વીટ કરી તેમને શ્રદ્ધાંજલિ આર્પી હતી.