ગુજરાત ઇલેક્શનને પગલે ખોડલધામના ચેરમેન નરેશ પટેલએ દિનેશ કુંભાણી અને રમેશ ટીલાળાની ટિકિટ માટે લોબિંગ શરૂ કર્યું છે.
ખોડલધામના ચેરમેન નરેશ પટેલનું ભાજપમાં ટિકિટ માટે લો્બિંગ
રાજકોટ દક્ષિણ અને અમદાવાદની એક બેઠક માટે લો્બિંગ
ખોડલધામના બે ટ્રસ્ટીઓને ટિકિટ માટે લો્બિંગ
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી જાહેર થયા બાદ હાલ રાજ્યમાં ચૂંટણીનો રંગ બરાબરનો જામ્યો છે. ટિકિટ માટે ઉમેદવારોની પડાપડી થઈ રહી છે. પોત-પોતાની ટિકિટ માટે નેતાઑ દોટ મૂકી રહ્યા છે. તેવામાં રાજકોટ-શહેરની દક્ષિણ બેઠક અને અમદાવાદની બેઠક હાઇ પ્રોફાઇલ બની છે. કારણ કે આ બેઠક પર ખોડલધામે લોબીંગ શરૂ કર્યું છે. ખોડલધામના બે ટ્રસ્ટીઓની ટિકિટ માટે ખુદ નરેશ પટેલ મહેનત કરી રહ્યા છે. ખોડલધામના ટ્રસ્ટી રમેશ ટીલાળાએ શહેરની દક્ષિણ બેઠક પર દાવેદારી કરી છે. વધુમાં દિનેશ કુંભાણી માટે ખોડલધામના ચેરમેન નરેશ પટેલએ ભાજપમાં ટિકિટ માટે લોબિંગ શરૂ કર્યું છે.
દિનેશ કુંભાણી અને રમેશ ટીલાળા માટે નરેશ પટેલનું લો્બિંગ
મહત્વનું છે કે, થોડા સમય અગાઉ જ રમેશ ટીલાળા નરેશ પટેલ સાથે વડાપ્રધાનને મળવા ગયા હતા. ઉપરાંત તાજેતરમાં અમદાવામાં ગૃહમંત્રી અમિત શાહ સાથે પણ બંને નેતાઑએ મુલાકાત કરી હતી. જેને લઇને રાજકારણ ગરમાયું છે. બીજી બાજુ હાલના ધારાસભ્ય ગોવિંદ પટેલે સ્થાનિકને ટીકિટ આપવાની માંગ ઉઠાવી છે. આમ ખોડલધામના લોબીંગથી રાજકારણમાં ગરમાવો આવ્યો છે.
રમેશ ટીલાળા ગોંડલથી નહિ રાજકોટથી ચૂંટણી લડશે : રમેશ ધડુક
ઉલ્લેખનીય છે કે ગોંડલમાં હાલ ગોંડલ જૂથના જયરાજસિંહ જાડેજા અને રીબડા જૂથના અનિરુદ્ધસિંહ જાડેજાએ ટિકિટની માંગ કરી છે. ટિકિટ માટે બે ક્ષત્રીય જુથ વચ્ચે લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો છે. ત્યારે આ વિવાદને સમાવવા માટે પાટીદાર નેતાને ટિકિટ આપવામાં આવે તેવી ચર્ચા ચાલતી હતી અને રમેશ ટીલાળાએ રાજકોટ માટે નહીં પણ ગોંડલની સીટ માટે લોબીગ શરૂ કર્યું હોય તેવી ચર્ચા ચાલી હતી. ત્યારે ગઇકાલે આ મામલે રમેશ ધડુકએ ફોડ પાડ્યો હતો અને જણાવ્યું હતું કે રમેશ ટીલાળા ગોંડલથી નહિ ટિકિટ મળશે તો રાજકોટથી ચૂંટણી લડશે. તેમ જણાવ્યું હતુ.