નર્મદા નદીમાં સરકાર ક્રુઝ ચાલુ કરવાની છે. આ ક્રુઝ અત્યાધુનિક સુખ સગવડથી ભરેલી હશે. હાલ મુંબઈથી ગોવા જતી ક્રુઝમાં જે વૈભવ હોય છે તે તમને આ ક્રુઝમાં જોવા મળી શકે છે. તમે પણ જો પ્રવાસના શોખીન હોવ તો આ ક્રુઝની સફર અવશ્ય માણવા જેવી છે.
જળ માર્ગે પણ પ્રવાસીઓ સ્ટેચ્યુ ઓફ યુનિટીની જોઇ શકશે
ક્રૂઝમાં ડીજે-ડાન્સની પણ માણી શકશે મજા
પહેલી મે ના રોજ ક્રૂઝની સુવિધા આરંભ થાય તેવી શક્યતા
વ્યક્તિ દીઠ રૂપિયા 300 ભાડું નક્કી કરાયું
નર્મદા જિલ્લામાં આવેલ દુનિયાની સૌથી ઉંચી પ્રતિમા સરદાર વલ્લભભાઈ પટેલ સ્ટેચ્યુ ઓફ યુનિટી જે દેશ અને દુનિયામાં પ્રચલિત થઈ છે જેને જોવા 1 વર્ષમાં 40 લાખ કરતા વધુ પ્રવાસીઓ આવી ચૂક્યા છે, અને સરકાર દ્વારા પણ અહીં આવતા પ્રવાસીઓ માટે અનેક આકર્ષણ ઉભા કરવામાં આવ્યા છે, જેમાં આજે પ્રવાસીઓ માટે એક વધુ આકર્ષણ ઉભુ કરવામાં આવી રહ્યું છે.
બોટ દ્વારા જળમાર્ગે ફરી સરકાર દ્વારા હાલ સ્ટેચ્યુ ઓફ લિબર્ટી પર એક બોટ સેવા ચલાવવામાં આવી રહી છે. હવે કેવડિયા પાસે બનેલ સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે પણ એક ક્રુઝ શરૂ કરવાની તૈયારી થઇ રહી છે. આ ક્રુઝ હાલ નર્મદા નદી પાસે બનાવવામાં આવી રહ્યું છે અને જેને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.
ટિકિટ પણ 250 થી 300 રૂપિયા રાખવામાં આવી
આ ક્રુઝમાં એક સાથે 200 જેટલા પ્રવાસીઓ બેસી શકશે જેના મારફતે સ્ટેચ્યુ ઓફ યુનિટીની આજુબાજુના સ્થળો પણ જળમાર્ગે પ્રવાસીઓ જોઈ શકશે એવી વ્યવસ્થા કરવામાં આવી છે, જેની ટિકિટ પણ 250 થી 300 રૂપિયા રાખવામાં આવી છે.
ક્રુઝ બોટને ગરુડેશ્વરથી 6 કિમીના અંતરમાં ચલાવવામાં આવશે, જેમાં રાત્રી દરમ્યાન સ્ટેજ પર આદિવાસી ડાન્સ, સાથે ગીત સંગીત પણ હશે, જેથી બોટમાં બેસેલા પ્રવાસીઓને આનંદ મળી રહે.
કેવી હશે ક્રુઝમાં સુવિધા?
એક સાથે 200 પ્રવાસીઓ બેસી શકે એવી વ્યવસ્થા
ક્રુઝ બોટ 6 કિલોમીટર ફેરવવામાં આવશે
ગરુડેશ્વરથી સ્ટેચ્યૂ ઓફ યુનિટી સુધી પ્રવાસીઓ માટે 4 કલાકનો ફેરો
સ્ટેજ પર આદિવાસી ડાન્સ સાથે ગીત સંગીત દ્વારા મનોરંજ