બ્રેકિંગ ન્યુઝ
RCBvSRH: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની 35 રને જીત, RCB 206/7 (20), SRH 171/8 (20)
108 ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે સી આર પાટીલની મુલાકાત, ક્ષત્રિય સમાજનો રોષ માત્ર પરશોત્તમ રૂપાલા સામે છે, ઘણા આગેવાનો રાજકોટ સભા ગયા હતા તે મળવા માટે આવ્યા છે, તેમણે કહ્યું છે કે રોષ ભાજપ સામે કે નરેન્દ્ર મોદી સામે નથી, માત્ર રૂપાલા સામે છે
ક્ષત્રિય સમાજને ફરી અપીલ કરું છે કે તમારી લાગણી દુભાઈ છે ક્ષમા આપવા અમારી વિનંતી છે: સી આર પાટીલ
રાજસ્થાનના જેસલમેરમાં વાયુસેનાનું ટોહી વિમાન ક્રેશ થયું, ઢાણીના જજિયા ગામ પાસે ક્રેશ થયા બાદ વિમાન આગમાં ખાક, ટોહી વિમાન માનવ રહિત વિમાન છે
વધુ એકવાર કચ્છની ધ્રૂજી ધરા, કચ્છના ગઢશીશામાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 2.9ની નોંધાઈ તીવ્રતા, ગઢશીશાથી 27 કિ.મી. દૂર નોંધાયું ભૂકંપનું કેન્દ્રબિંદુ
વડોદરાના હરણી તળાવમાં દુર્ઘટના કેસ: ગુજરાત હાઇકોર્ટે ખાતાકીય અને આર્થિક તપાસના આપ્યા આદેશ, શહેરી વિકાસ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી કરશે તપાસ ,18 જાન્યુઆરીએ હરણી દુર્ઘટનામાં 12 બાળકો અને 2 શિક્ષકો સહિત 14 લોકોના થયા હતા મોત
VTV / Kejriwal sparks controversy by meeting Punjab officials, says Opposition
Hiralal
Last Updated: 08:28 PM, 12 April 2022
પંજાબની ભગવંત માન સરકારને લઈને એક નવો વિવાદ સપાટીએ આવ્યો છે. દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલે દિલ્હીમાં પંજાબના મુખ્ય સચિવ અને પંજાબ વીજળી વિભાગના મોટા અધિકારીઓ સાથે મીટિંગ કરી હતી. આ દરમિયાન પંજાબના સીએમ ભગવંત માન ત્યાં હાજર નહોતા. સત્તાવાર રીતે તો મુખ્યમંત્રી વિભાગના અધિકારીઓની બેઠક બોલાવી શકે છે પરંતુ આ કિસ્સામાં કેજરીવાલે દિલ્હીમાં પંજાબના અધિકારીઓ બોલાવ્યાંનું જાણમાં આવતા આખો વિપક્ષ તેમની પર તૂટી પડ્યો હતો.
Worst was feared, worst happened. @ArvindKejriwal has taken over Punjab much before it was expected to happen. That @BhagwantMann is a rubber stamp was a foregone conclusion already, now Kejriwal has proved it right by chairing Punjab officers' meeting in Delhi.
— Capt.Amarinder Singh (@capt_amarinder) April 12, 2022
અમરિન્દર સહિત કોંગ્રેસ અને ભાજપે ભગવંત માન સરકારને સાણસામાં લીધી
પૂર્વ સીએમ કેપ્ટન અમરિન્દર સહિત કોંગ્રેસ અને ભાજપે ભગવંત માન સરકારને સાણસામાં લીધી છે. આખા વિપક્ષે કેજરીવાલ પર પંજાબને બાનમાં લેવાનો આરોપ લગાવીને સીએમ ભગવંત માનને રબર સ્ટેમ્પ ગણાવી દીધા છે.
Chandigarh | This (Punjab) govt is running from Delhi and not from Chandigarh. Two days ago Arvind Kejriwal called Punjab's Chief Secretary, Power Secretary (to Delhi). This is unconstitutional and is indirect control on Punjab: Punjab Congress CLP leader Pratap Singh Bajwa pic.twitter.com/tRULWIOhxl
— ANI (@ANI) April 12, 2022
અરવિંદ કેજરીવાલે પંજાબ પર કબજો જમાવી દીધો-અમરિન્દર
અમરિન્દરે ટ્વિટ કરીને કહ્યું કે સૌથી વધારે ખરાબ ડર હતો, સૌથી વધારે ખરાબ થયું. અરવિંદ કેજરીવાલે પંજાબ પર કબજો જમાવી દીધો છે. ભગવંત માન રબ્બર સ્ટેમ્પ સીએમ છે. આ પહેલેથી નક્કી હતું. તેમણે કહ્યું કે હવે કેજરીવાલે દિલ્હીમાં પંજાબના અધિકારીઓ સાથે બેઠક કરીને આ વાત સાબિત કરી દીધું છે.
કેજરીવાલનું પગલું ગેરબંધારણીય-બાજવા
પંજાબ કોંગ્રેસના વરિષ્ઠ નેતા પ્રતાપ સિંહ બાજવાએ કહ્યું કે પંજાબ સરકાર ચંદીગઢથી નહીં દિલ્હીથી ચાલી રહી છે. બે દિવસ પહેલા કેજરીવાલે પંજાબના મુખ્ય સચિવ, વીજળી સચિવને ફોન કર્યો હતો. આ ગેરબંધારણીય છે અને પંજાબ પર સીધો કાબુ છે. બાજવાએ કહ્યું કે સરકાર ગુનેગારોની સામે કાર્યવાહી કરી રહી નથી.
માફી માફે માન અને કેજરીવાલ-સિરસા
ભાજપ નેતા મનજિંદર સિંહ સિરસાએ કહ્યું કે દિલ્હીના સીએમ કેજરીવાલ કઈ હેસિયતથી અધિકારીઓ સાથે બેઠક કરી. પંજાબ સરકારના અધિકારી મુખ્યમંત્રીની ગેરહાજરીમાં કેવી રીતે ગયા. શું સીએમ ભગવંત માનને આ બેઠકની જાણકારી હતી. જો હા હોય તો તેમને અને કેજરીવાલ બન્નેએ પંજાબના સન્માનને ઠેસ પહોંચાડવા માટે પંજાબી લોકોની માફી માગવી જોઈએ, આ અસ્વીકાર્ય છે.
પંજાબ કોંગ્રેસ પ્રમુખનો હુમલો
પંજાબ કોંગ્રેસ પ્રમુખ અમરિન્દર સિંહ રાજાએ કહ્યું કે પંજાબના વરિષ્ઠ અધિકારી શું હવે કેજરીવાલ સાહેબના દરબારમાં હાજરી લગાવશે. શું પંજાબના સીએમ માન માત્ર દેખાવ પૂરતા સીએમ છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
લોકસભા ચૂંટણી 2024 / કોંગ્રેસના ઉમેદવારોને 15 કરોડ આપીને..' VTV સાથેની ખાસ વાતમાં જુઓ શું શું બોલ્યા શક્તિસિંહ
surat
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
લોકસભા ચૂંટણી 2024 / કોંગ્રેસના ઉમેદવારોને 15 કરોડ આપીને..' VTV સાથેની ખાસ વાતમાં જુઓ શું શું બોલ્યા શક્તિસિંહ
surat
Lok Sabha Election 2024 / હાર્દિક પટેલને ભાજપે જમીન પર લાવી દીધો, એક સમયે હેલિકોપ્ટર લઈ પ્રચારમાં સભાઓ ગજવી હતી
starcampaigners