અત્યારે લગભગ બધા ATMનો ઉપયાગ કરે છે પણ શું તમે જણો છો કે ATMનો ઉપયાગ કરતા પહેલાં ઘણી સાવધાની રાખવી પડે છે. ATM કાર્ડધારકોએ ક્યારેય પોતાનો પિન નંબર કાર્ડ પર ન લખવો જોઇએ.
આ ઉપરાંત પણ કાર્ડધારકોએ ઘણી સાવધાની રાખવાની હોય છે. જેમ કે અજાણ્યા લોકો જોડેથી ટ્રાજેક્શન માટે ક્યારેય પણ પોતાનું કાર્ડ ન આપો. આ ઉપરાંત તમે જે તમારી પત્ની કે બાળકો અથવા કોઇ સંબંધી જોડે તમારૂ કાર્ડ આપી ATMથી પૈસા કઢાવવા માગો છો તો હવે તમારે સાવધાની વર્તવી પડશે નહીં તો તે તમારા માટે ક્યારેક ખતરનાક સાબિત થઇ શકે છે.
આ ઉપરાંત ATMથી પૈસા કાઢતી વખતે જો કોઇ તકલીફ ઉભી થાય તમારા ખાતામાંથી પૈસા કપાઇ જાય અને તમને મશીનથી કેશ ન મળે તો તમે બેંક જોડે ફરીયાદ લઇને જશો તો આ મામલે બેંક તમારી કોઇ મદદ નહીં કરે.