ગંગોત્રી-યમનોત્રી બાદ કેદારનાથના પણ કપાટ ખોલવામાં આવ્યા છે. જેને લઈને શિવભક્તો ભગવાન કેદારનાથના દર્શન કરી શકશે. મળતી માહિતી મુજબ ભાઈબીજથી બંધ કરેલા કેદારનાથના કપાટ ખુલ્લા મુકાયા છે.
ત્યારે શિવભક્તો 29 ઓક્ટોબર સુધી ભગવાન કેદારનાથના દર્શન કરી શકશે. ભગવાન કેદારનાથની પ્રથમ આરતી માટે ભક્તોનું ઘોડાપુર ઉમટ્યુ છે.
મહત્વનું છે કે, હિંદુ માન્યતા પ્રમાણે કેદારનાથ ચાર ધામ પૈકીનું એક મનાય છે. દેશભરથી શિવ ભક્તો ચારધામ યાત્રા માટે જવા રવાના થયા છે. તો શુક્રવારે બદ્રીનાથના કપાટ પણ દર્શન માટે ખુલ્લા મુકાશે. આ પહેલા અખાત્રીજે ગંગોત્રી અને યમનોત્રીના કપાટ ખોલાયા હતા.
Uttarakhand: Portals of the Kedarnath temple open for pilgrims after a period of six months. pic.twitter.com/u22L9AAMPh
બદ્રીનાથના ખુલશે કપાટ
ઉત્તરાખંડની પવિત્ર ચાર ધામ યાત્રા શરૂ થઈ ગઈ છે. 7 મેએ ગંગોત્રી અને યમુનોત્રી મંદિરના કપાટ ખુલ્યા બાદ આજે કેદારનાથ ધામના પણ કપાટ ખોલી દેવામાં આવ્યા છે. જ્યારે ચોથું ધામ એટલે કે બદ્રીનાથ. જેના કપાટ આવતીકાલે ખોલવામાં આવશે.
મહત્વનું છે કે શિયાળો શરૂ થતાં આ ચારેય ધામના કપાટ 6 મહિના સુધી બંધ કરી દેવામાં આવે છે. હિન્દુ ધર્મમાં ચાર ધામ યાત્રાનું ઘણુ મહત્વ રહેલું છે. હાલ ત્રણ ધામના કપાટ ભક્તો માટે ખોલી દેવામાં આવ્યા છે. મોટી સંખ્યામાં ભક્તો પણ દર્શન કરવા માટે પહોંચી રહ્યા છે. તો બદ્રીનાથ ધામના કપાટ આવતીકાલે ખુલી જશે. રુદ્રપ્રયાગ જિલ્લામાં આવેલા કેદારનાથ ધામને ભગવાન શિવ શંકરનું પવિત્ર ધામ માનવામાં આવે છે.
તો ઉત્તરકાશી જિલ્લામાં આવેલા ગંગોત્રી અને યમુનોત્રી ધામની યાત્રાને પણ ખાસ માનવામાં આવે છે. જ્યારે ચમોલી જિલ્લામાં આવેલું બદ્રીનાથ ધામ ભગવાન બદ્રી એટલે કે વિષ્ણુનું પવિત્ર સ્થળ છે. એવી માન્યતા છે કે જીવનમાં આ ચારેય ધામની યાત્રા કરનારા દરેક શ્રદ્ધાળુના પાપ ધોવાઈ જાય છે. સાથે જ વ્યક્તિની આત્માને જીવન અને મૃત્યુના બંધનથી મુક્તિ મળી જાય છે.