નવી દિલ્હીઃ દેશભરમાં ચકચાર જગાવનાર ઉન્નાવ અને કઠુઆ દુષ્કર્મ કેસમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે દીકરીઓને ન્યાય મળશે. આ ઘટના શરમજનક છે. આ ઘટનાનો કોઇ ગુનેગાર બચી શકશે નહીં.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે રાજધાની દિલ્હીમાં ડો. આંબેડકર રાષ્ટ્રીય સ્મારક દેશને સમર્પણ કર્યું. આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંબોધન કર્યું હતું. જેમાં પીએમ મોદીએ કહ્યું કે જમ્મૂ-કાશ્મીરના કઠુઆ અને ઉત્તર પ્રદેશના ઉન્નાવ રેપની ઘટના શરમજનક કહેવાય.
પીએમ કહ્યું કે રેપની ઘટનાઓએ દેશ માટે શરમજનક કહેવાય. દેશની જે દિકરીઓને સાથે અન્યાય થયો છે તેને ન્યાય જરૂરથી મળશે. કોઇપણ અપરાધી બચી નહી શકે. ગત બે દિવસથી જે ઘટના ચર્ચામાં ચાલી રહી છે જે કોઇપણ સભ્ય સમાજ માટે શરમજનક કહેવાય. એક સમાજ તરીકે એક દેશ તરીકે આપણે બધા આના માટે શર્મસાર છીએ.
દેશભરમાં કઠુઆ અને ઉન્નાવ રેપની ઘટના બાદ આક્રોશ જોવા મળી રહ્યો છે. ઉન્નાવ કેસમાં ભાજપના ધારાસભ્ય કુલદીપ સિંહ સેંગર પર રેપનો આરોપ લગવામાં આવ્યો છે જ્યારે કઠુઆમાં આઠ વર્ષની બાળકી પર દુષ્કર્મ બાદ તેની હત્યા કરવામાં આવી છે. આ મુદ્દે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દલિત મુદ્દે પણ મૌન તોડ્યું હતું.
પીએમ મોદી કહ્યું કે અમારી સરકારે એસસી-એસટી એક્ટને મજબુત કરવાનું કામ કર્યું. અમે 2015માં દલિત પર અત્યાચાર વિરુધ્ધ કાયદો (એસસી-એસટી એકટ)ને મજબુત કર્યો. આ કાનૂનમાં દલિતોને વધારે અધિકાર આપવામાં આવ્યાં.