કોરોના વાયરસ સામે લડવા માટે દેશભરમાં લૉકડાઉનની જાહેરાત કરવામાં આવ્યુ છે. એવામાં પોતપોતાના ઘરમાં બંસ સ્ટાર્સ સોશ્યલ મીડિયા પર કંઇને કંઇ પોસ્ટ કરતા રહે છે. જેમાંથી એક છે હાર્ટ થ્રોબ કાર્તિક આર્યન. જેણે કોરોના પ્રત્યે લોકોની જાગૃતિ વધે તે માટે ગજબ આઇડિયા શોધી લીધો છે.
કાર્તિકે કોકી પૂછેગા નામથી એક સીરિઝ શરૂ કરી છે જેમાં તે કોરોનાને હરાવીને આવેલા દર્દીઓનો ઇન્ટરવ્યૂ લઇ રહ્યો છે. કાર્તિકના પહેલા જ એપિસોડમાં ગુજરાતની પહેલી કોરોના દર્દી સુમુતિ સિંહ સાથે વાત કરી.
લૉકડાઉન દરમિયાન કાર્તિક આર્યન લોકોને સતત એન્ટરટેઇન કરી રહ્યો છે અને સાથે જ કોરોનાને લઇને લોકોમાં જાગૃતિ ફેલાઇ રહ્યો છે. સૌથી પહેલા તેણે પોતાના સોશ્યલ મીડિયા પર એક મોનોલૉગ શૅર કર્યો જેમાં કાર્તિકે કોરોના વાયરસથી બચવા માટે ઘરમાં રહેવાની અને થોડા દિવસ અન્ય લોકો સાથે અંતર જાળવવા માટે કહી રહ્યો છે. આ પછી તેણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના રિલીફ ફંડમાં દાન કરીને સરકારની મદદ કરી અને હવે આ સીરિઝ લઇને આવ્યો છે.
કાર્તિકે આ ઇન્ટરવ્યૂમાં સુમિતિ સિંહને પૂછ્યુ કે, તે ટૂથપ્રેસ્ટ પણ ઓર્ગેનિક વાપરે છે તો કેવી રીતે કોરોનાનો ચેપ લાગી શકે. સુમિતિએ જણાવ્યુ કે, તેને ટ્રાવેલિંગ ગમે છે અને તેનું પરિણામ તેણે ભોગવવું પડ્યુ. સુમિતિ ફિનલેન્ડ ગઇ હતી જ્યાં તે કોરોનાના ચપેટમાં આવી.
કાર્તિકના આ ઇન્ટરવ્યૂમાં સુમિતિએ જણાવ્યુ કે, પહેલા લક્ષણ દેખાતા જ તેણે પરિવારથી અંતર રાખ્યુ, વીડિયો ચેટથી પરિવાર સાથે વાત કરતી હતી. જાતે ડ્રાઇવ કરીને હોસ્પિટલ ગઇ હતી અને કેવી રીતે કોરોનાથી હરાવીને તે પાછી આવી તે અંગે કીધું.