કર્ણાટક બીજેપીમાં રાજકીય ઉથલપાથલ થઈ શકે છે. બીજેપી એમએલસી એએચ વિશ્વનાથનના નેતૃત્વ પર સવાલ ઉઠી રહ્યા છે.
કર્ણાટક બીજેપીમાં રાજકીય ઉથલપાથલ
કોંગ્રેસ પર રાજનૈતિક ષડયંત્રનો આરોપ
કર્ણાટક મામલાને ઉકેલવા માટે અરૂણ સિંહ ત્રણ દિવસના પ્રવાસ પર છે
કર્ણાટક બીજેપીમાં રાજકીય ઉથલપાથલ થઈ શકે છે. બીજેપી મહાસચિવ અરૂણ સિંહ કર્ણાટક પ્રવાસ પર છે. અને પાર્ટી પદાધિકારીઓ સાથે વાત કરી રહ્યા છે. આ વચ્ચે બીજેપી એમએલસી એએચ વિશ્વનાથના નેતૃત્વ પર સવાલ ઉઠી રહ્યા છે. તેમનું કહેવું છે કે સામાન્ય જનતાની સરકારને લઈને મત નકારાત્મક છે. ત્યાં જ બીજી તરફ કેબિનેટ મંત્રી બી શ્રીરામુલુએ દાવો કર્યો છે કે યેદિયુરપ્પા સરકારમાં બધુ સારૂ છે અને કોંગ્રેસ પર રાજનૈતિક ષડયંત્રનો આરોપ લગાવવામાં આવ્યો છે.
બીજેપી એમએલસી એએચ વિશ્વનાથે કહ્યું, "સરકાર અને પાર્ટીને લઈને સામાન્ય જનતાનો મત નેગેટિવ છે. જે ઠીક નથી. યેદિયુરપ્પાની ઉંમર, સ્વાસ્થ્ય, તે સીએમના રૂપમાં પ્રદેશ ચલાવવાની સ્થિતિમાં નથી. તેમની જગ્યા પર કોઈ બીજાને આ સ્થાન પર બેસાડવું જોઈએ. પ્રસાશનમાં પારિવારિક દખલથી વસ્તુઓ વધારે બગડી જાય છે. મેં અરૂણ સિંહ સાથે વાત કરી છે. "
'કોંગ્રેસ રાજનૈતિક ષડયંત્ર કરી રહી છે'
વિશ્વનાથને આગળ જણાવ્યું કે, 'બીવાઈ વિજયેન્દ્ર અને તેના મિત્રો કહી રહ્યા છે કે આપણે પૈસા ભેગા કરીને દિલ્હી મોકલી રહ્યા છે. આ એક ગંદો પ્રોપેગેન્ડા છે. મેં મહાસચિવને આ વાત પણ જણાવી છે.' બીજી તરફ, કર્ણાટકના મંત્રી બી શ્રીરામુલુએ તેને ફગાવી દીધી છે. તેમણે કહ્યું, 'અમે અરૂણ સિંહની સાથે ચર્ચા કરી હતી. કોંગ્રેસ રાજનૈતિક ષડયંત્ર કરી રહ્યું છે. સિદ્ધારમૈયા સીએમ બનવા માંગે છે પરંતુ તેમને નથી ખબર કે તેમની પાછળ કટપ્પા છે. અરૂણ સિંહે ક્યું કે અમારા સીએમ યેદિયુરપ્પા છે. જે એએચ વિશ્વનાથે કહ્યું કે તેમનો વ્યક્તિગત નિર્ણય છે. '
કર્ણાટક મામલાને ઉકેલવા માટે અરૂણ સિંહ ત્રણ દિવસના પ્રવાસ પર છે
કર્ણાટક મામલાને ઉકેલવા માટે અરૂણ સિંહ ત્રણ દિવસના પ્રવાસ પર બેંગ્લોર ગયા છે. તે ગુરુવારે બીજેપીના ધારાસભ્યોની સાથે ચર્ચા કરશે. ત્યાર બાદ શુક્રવારે કે પ્રદેશ બીજેપીની કોર કમિટીને સંબોધિત કરશે. થોડા દિવસો અગાઉ કર્ણાટકમાં અસંતોષની ખબરની વચ્ચે યેદિયુરપ્પાને હટાવવાની ચર્ચા હતી પરંતુ અરૂણ સિંહે તેનું ખંડન કરતા કહ્યું હતું કે યેદિ જ સીએમ રહેશે.