અનુસુચિત જાતિ અને અનુસુચિત જનજાતિ અધિનિયમ અંગે એક મહત્વનો ચુકાદો આપતા કર્ણાટક હાઇકોર્ટે એક મહત્વની ટિપ્પણી કરી હતી. જેમાં હાઇકોર્ટ દ્વારા સાર્વજનિક સ્થળે અપમાન સંબંધે ચોખવટ કરવામાં આવી હતી.
જાહેર સ્થળો પર ફરિયાદીનું અપમાન થાય ત્યાં જ એક્ટ લાગુ થશે
બેઝમેન્ટ કોઈ જાહેર સ્થળ નથી તેથી અહીં કેસ લાગુ નહીં થાય
કર્ણાટક હાઈકોર્ટે કહ્યું છે કે જાહેર સ્થળો પર થતો અત્યાચાર જ અનુસુચિત જાતિ અને અનુસુચિત જનજાતિ અધિનિયમ લાગુ થશે. એક પેન્ડિંગ મામલાને રદ્દ કરીને કોર્ટે કહ્યું કે ફરિયાદીએ આરોપ લગાવ્યો હતો કે ઈમારતના બેઝમેન્ટમાં તેને જાતિવાદી શબ્દો કહેવામાં આવ્યા હતા. આ દરમ્યાન તેના સાથીકર્મીઓ હાજર હતા.
જેના પર કર્ણાટક હાઈકોર્ટે કહ્યું કે બેઝમેન્ટ કોઈ જાહેર સ્થળ નથી અને આ કેસમાં અન્ય કારણ પણ છે. જેનાથી પ્રબળ સંભાવના છે કે આરોપીને નિશાને લેવામાં આવે છે. કર્ણાટક હાઈકોર્ટના જસ્ટિસ એમ નાગપ્રસન્નાએ આ મહત્વના ચુકાદામાં કહ્યું છે કે નિવેદનોથી બે તથ્યો સામે આવ્યાં છે, પહેલુ કે બેઝમેન્ટ કોઈ જાહેર સ્થાન નથી અને બીજુ કે આ ઘટનાનો દાવો માત્ર તેઓ કરી રહ્યાં છે, જે ફરિયાદીના સહકર્મી છે. જેમાંથી એક વ્યક્તિનો આરોપી રિતેશ પિયાસ સાથે કન્સ્ટ્રક્શનને લઇને વિવાદ હતો અને તેણે બિલ્ડિંગ નિર્માણ કાર્ય વિરુદ્ધ સ્ટે લીધો હતો. કોર્ટે કહ્યું કે આ મામલે અન્ય કારણો પણ સામેલ છે. એવામાં પ્રબળ સંભાવના છે કે ફરિયાદી પોતાના કર્મચારીનો આધાર લઇને આરોપીને નિશાને લેવાની કોશિશ કરી રહ્યો છે.
આરોપી અને ફરિયાદી વચ્ચે વિવાદ પણ હતો
આ મામલો 2020ની ઘટના બાદ નોંધવામાં આવ્યો હતો. જેમાં જણાવવામાં આવ્યું હતુ કે ફરિયાદી મોહન, ભવન સ્વામી જયકુમાર આર નાયર સહકર્મી છે. નાયરનો રિતેશ સાથે કન્સ્ટ્રક્શનને લઇને વિવાદ હતો. મામલો વધુ ઉગ્ર થતા નાયરે ભવન નિર્માણ કાર્યની વિરુદ્ધ સ્ટે લીધો હતો. આરોપ હતો કે બિલ્ડિંગના કન્સ્ટ્રક્શન દરમ્યાન રિતેશે મોહનને જાતિસુચક શબ્દ કહ્યા હતા. તે સમયે પીડિત અને તેના સહકર્મી હાજર હતા. ભવન માલિક જયકુમાર આર નાયરને કોન્ટ્રાક્ટ પર કામ આપ્યું હતુ.