કર્ણાટકમાં કુમારસ્વામીની સરકાર રહેશે કે જશે તે આજે નક્કી થઈ જશે. કર્ણાટક વિધાનસભામાં કુમારસ્વામી સરકારનો આજે ફ્લોર ટેસ્ટ થવાનો છે. તે પૂર્વે રાજકીય ઘટનાક્રમમાં નવો વળાંક આવ્યો છે. કોંગ્રેસ નેતા ડી.કે. શિવકુમારે કહ્યું કે JDS સરકાર બચાવવા કોઈપણ ત્યાગ આપવા માટે તૈયાર છે.
એટલું જ નહીં કુમારસ્વામીની પાર્ટી કોંગ્રેસ તરફથી મુખ્યમંત્રી બનાવવા માટે તૈયાર છે. શિવકુમારનું માનીએ તો JDSએ આ મામલે અમારા હાઈકમાન્ડ સાથે વાત કરી છે. વિશ્વાસ મત પર વોટિંગ પહેલા શિવકુમારનું આ નિવેદન શું સરકાર બચાવી શકશે ?...
જ્યારે કોંગ્રેસના ધારાસભ્યોએ રાજીનામા આપવાનું શરૂ કર્યું હતું ત્યારથી સરકાર સંકટમાં આવી ગઈ હતી. તે સમયે 4 ધારાસભ્યોએ કહ્યું હતું કે જો સિદ્ધારમૈયા રાજ્યની કમાન સંભાળશે તો તે રાજીનામું પરત ખેંચી લેશે અને સરકારને સમર્થન આપશે. આમ શિવકુમારનું આ નિવેદન સરકાર બચાવી શકે છે કે પછી સરકાર પડી જશે તે તો ફ્લોર ટેસ્ટ બાદ જ જાણી શકાશે.
આમ કર્ણાટક વિધાનસભામાં ફલોર ટેસ્ટ થવા જઇ રહ્યો છે ત્યારે બળવાખોર ધારાસભ્યો સરકારના પક્ષમાં મત નહીં કરે તો એચડી કુમારસ્વામીની સરકારનો આજે અંતિમ દિવસ થઇ શકે છે. આ જ કારણ છે કે કોંગ્રેસ અને જેડીએસ તરફથી સરકારને બચાવવા માટે પ્રયત્ન કરવામાં આવી રહ્યાં છે. એવા સમયે કુમારસ્વામી માટે મુખ્યમંત્રી પદનો ત્યાગ કરી સરકાર બચાવવા આ અંતિમ રસ્તો છે.