રાજ્યમાં જોવા મળી રહેલા રાજકીય સંકટ વચ્ચે કર્ણાટકની સત્તારૂઢ કોંગ્રેસ-જેડીએસ ગઠબંધનના વધુ 5 બળવાખોર ધારાસભ્યોને તેમના રાજીનામા સ્વીકાર કરવા માટે વિધાનસભા અધ્યક્ષ રમેશ કુમાર દ્વારા મંજૂર ન કરવા પર શનિવારે સુપ્રીમ કોર્ટમાં ગયા હતા.
આ પાંચ ધારાસભ્યો આનંદ સિંહ, કે. સુધાકર, એન. નાગરાજ, મુનિરત્ન અને રોશન બેગ છે. એમણે કહ્યું કે પહેલાથી જ લંબિત 10 અન્ય બળવાખોર ધારાસભ્યોની અરજીમાં તેમને સામેલ કરી લેવામાં આવે. આ અરજી પર મંગળવારે સુનાવણી થવાની છે.
કર્ણાટકમાં ગઠબંધન સરકાર ગંભીર સંકટથી પસાર થઇ રહી છે. તેના 16 ધારાસભ્યોને વિધાનસભાથી રાજીનામુ આપી દીધુ છે. તેમાંથી 13 ધારાસભ્યો કોંગ્રેસ અને 3 જેડીએસના છે. રાજ્યના આવાસ મંત્રી એમટીબી નાગરાજે કહ્યું કે પૂર્વ મુખ્યમંત્રી સિદ્ધરમૈયા સહિત કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓએ તેમની મુલાકાત કરી અને તેમને પોતાનું રાજીનામા પાછુ લેવા કહ્યું. નાગરાજ હોસકોટથી કોંગ્રેસના ધારાસભ્યો છે. એમણે ગત સપ્તાહે વિધાનસભાથી રાજીનામુ આપી દીધું હતું. નાગરાજે 10 જુલાઇએ રાજીનામુ આપ્યું હતું. કોંગ્રેસ નેતાઓને તેમને વાત કરીને તેમના નિર્ણય પર ફરી વિચાર કરવા કહ્યું હતું પરંતુ આખા દિવસ વાતચીત બાદ પણ નાગરાજે સ્પષ્ટતા કરી નથી.
નાગરાજે પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું કે, 'સિદ્ધરમૈયા અને દિનેશ ગુંડુ રાવે મારી સાથે મુલાકાત કરી છે અને મને રાજીનામુ પાછું લેવા તથા પાર્ટીમાં બની રહેવા અનુરોધ કર્યો. તેના પર વિચાર કરવા માટે મેં સમય માંગ્યો હતો. એમણે કહ્યું કે, મેં તેને કહ્યું કે ધારાસભ્ય સુધાકર સાથે વાતચીત કરીશ અને રાજીનામુ પાછુ લઇને આવવા જણાવીશ.'
શું તમામ મતભેદ દૂર થઇ ગયા છે એમ પૂછવા પર નાગરાજે કહ્યું કે, એમને કેટલોક અસંતોષને લઇને રાજીનામુ આપ્યું હતું. અને દરેક રાજનીતિક પાર્ટીમાં અસહમતિ હોય છે. એમણે કહ્યું કે, 'પાર્ટી નેતૃત્વ ધારાસભ્યોને મનાવવાની કોશિશ કરી રહી છે. હું પણ તેમની કોશિશમાં તેમની મદદ કરવા માટે પોતાનું સર્વશ્રેષ્ઠ કોશિશ કરીશ'.
એક દિવસ પહેલા મુખ્યમંત્રી એચડી કુમાર સ્વામીએ વિધાનસભામાં તમામને હેરાન કરતા જાહેરાત કરી હતી કે તે ગૃહમાં વિશ્વાસ મત કરાવશે. જે બાદ સત્તારુઢ ગઠબંધનના બળવાખોર ધારાસભ્યોને મનાવાની કોશિશ તેજ કરી દીધી હતી. પરંતુ બીજેપીએ પોતાના ધારાસભ્યોને હોટલમાં મોકલી દીધા હતા. બીજેપીનું કહેવું છે કે તે મુખ્યમંત્રી કુમારસ્વામીને સોમવારે શક્તિ પરીક્ષણ કરવાનું કહેશે.
જેડીએસ સૂત્રો બતાવી રહ્યા છે કે કુમાર સ્વામી રાજીનામુ આપનાર કોંગ્રેસના ઓછામાં ઓછા 4 ધારાસભ્યોના સાથે સીધા સંપર્કમાં છે અને આશા છે કે એ લોકો પોતાનું રાજીનામુ પાછુ લઇ લેશે. વિધાનસભામાં સંભવત: આવતા સપ્તાહે થનાર શક્તિ પરીક્ષણ માટે પોત-પોતાના ધારાસભ્યોને એકજૂટ રાખવા માટે કોંગ્રેસ અને ભાજપ બંને પાર્ટી હોટલો અને રિજોર્ટમાં મોકલી રહ્યા છે.