કરીના કપૂરે આટલા વર્ષ બાદ અંતે શાહિદ કપૂર સાથે બ્રેકઅપ માટે ખુલીને વાત કરી. કરીના કપૂરે તાજેતરમાં અનુપમા ચોપડાને આપેલા ઇન્ટરવ્યૂમાં પોતાની ફિલ્મી કરિયર અને ખાનગી લાઇફ માટે ખુલીને વાત કરતી નજરે આવી.
બોલીવુડમાં બનતા બગડતા સંબંઘોની કહાની હંમેશા સાંભળવા મળે છે. વર્ષો પહેલા એક એવા રિલેશનશીપ તૂટ્યા હતા એક્ટ્રેસ કરીના કપૂર અને શાહીદ કપૂરના. બંનેએ લાંબા સમય સુધી એકબીજાને ડેટ કર્યું હતું. પછી આ બંને અચાનક અલગ થયા તો દરેક લોકો હૈરાન થઇ ગયા. બંને વાતચીત પણ એકબીજા સાથે કરતા નહતા. વર્ષો સુધી શાહિદ સાથે બ્રેકઅપ પર મૌન રાખ્યા બાદ હવે અંતે એક્ટ્રેસ કરીનૈ કપૂરે એની પર વાત કહી છે.
કરીના કપૂરે અપમા ચોપડાને આપેલા ઇન્ટરવ્યૂમાં પોતાની ફિલ્મી કરિયર અને પર્સનલ લાઇફ માટે ખુલીને વાત કરતી નજરે આવી છે. આ ઇન્ટરવ્યૂમાં કરીના કપૂરને એને જૂની ફિલ્મોની ક્લિપ દેખાડવામાં આવી રહી છે, જેમાં એને આઇકૉનિક કિરદાર નિભાવ્યા હતા.
શાહીદે જ જબ હી મેટની સ્કિપ્ટ વાંચવા કહ્યું હતું
કરીના કપૂરે જણાવ્યું કે શાહિદ કપૂરે જ એને કહ્યું હતું કે આ ફિલ્મની સ્કિપ્ટ તારે જરૂરથી વાંચવી જોઇએ. એ વખતે ફિલ્મ ટશનમાં પણ કામ કરી રહી હતી. એ ફિલ્મ માટે મે ઝીરો સાઇઝ કરી હતી અને જોરદાર મહેનત કરી હતી. મને લાગી રહ્યું હતું કે ટશન ફિલ્મથી હું છવાઇ જઇશ અને જબ વી મેટને સીરિયસલી નહતી લીધી. જો કે એનું બિલકુલ ઊંધું થયું.
'જબ વી મેટ'થી અલગ થઇ ગઇ હતી કરી
કરીનાએ કહ્યું, 'ભાગ્યના કંઇક બીજા પ્લાન હોય છે અને લાઇફ એના હિસાબથી ચાલે છે.'ટશન' અને 'જબ વી મેટ' દરમિયાન ઘણું બધું બદલાઇ ગયું હતું, પરંતુ ટશન દ્વારા મને સૈફ મળી અને મારી લાઇફ બદલાઇ ગઇ.
જણાવી દઇએ કે ઇમ્તિયાઝ અલીની જબ વી મેટ એ ફિલ્મ હતી, ત્યારબાદ શાહિદ કરીનાનું બ્રેકઅપ થઇ ગયું હતું. ત્યારબાદ એ બંનેએ ફિલ્મ 'ઉડતા પંજાબ'માં સાથે કામ તો કર્યું, પરંતુ એક પણ સીન સાથે કર્યો નહતો. આજે બંને આ સંબંધથી ખૂબ આગળ વધી ચુક્યા છે, બંનેના લગ્નના અને બાળકો પણ થઇ ગયા છે.