કેટલીક સીરિયલો અને ફિલ્મોમાં અમુક પાત્રો એવા હોય છે જેને નિભાવનાર કલાકાર અમર થઈ જાય છે. હવે એમાં કલાકરાનું કામ જોરદાર હોય છે કે પછી એ પાત્રનું મહત્વ પરંતુ આવું ઘણીવાર થતું હોય છે. આવું જ કંઈક રામાયણ સીરિયલના શ્રીરામ, લક્ષ્મણ, સીતા, હનુમાન અને અન્ય પાત્રો સાથે થયું હતું. આ સીરિયલના કલાકારો જ્યાં તેમના પ્રોફેશનલ ફ્રંટમાં ઘણાં આગળ વધી ગયા છે ત્યારે પોતાના અંગત જીવનમાં પણ ઘણાં ચેન્જિસ થયા છે.
રામાયણના સીતા-રામ હવે દેખાય છે આવા
પોતાના પાત્રથી લોકોમાં થયા લોકપ્રિય
આવું છે બંનેનું અંગત જીવન
રામાયણ સીરિયલમાં સીતા અને રામનો રોલ ભજવનાર દીપિકા ચિલખિયા અને અરૂણ ગોવિલ જ્યાં પણ જતા લોકો તેમના આશીર્વાદ લેતા અને આરતી પણ ઉતારતા. થોડાં સમય પહેલાં જ રામાયણના કેટલાક પાત્રો કપિલ શર્માના શો પર પહોંચ્યા હતા.
શોમાં કપિલ શર્માએ આ લોકોથી મજેદાર પ્રશ્નો પૂછ્યા અને ખૂબ જ મસ્તી પણ કરી હતી. સાથે એ જમાનામાં શૂટિંગને લગતા રસપ્રદ કિસ્સાઓ પણ શેર કર્યા હતા. રામાયણના બિહાઈન્ડ ધ સીન્સમાં કેટલીક તસવીરો પણ સામે આવી હતી.જેમાં દીપિકા અને અરૂણના પરિવારના સભ્યોની તસવીરો પણ સામે આવી હતી.
દીપિકાના પરિવારના લોકો પણ કપિલ શર્માના શો પર આવ્યા હતા અને કપિલના શોમાં એન્જોય કર્યું હતું. અરૂણ ગોવિલના લગ્ન શ્રીલેખા સાથે થયા હતા. તેમાં તેમના બે બાળકો છે. તેમના દિકરા અમલ ગોવિલના લગ્ન થઈ ગયા છે અને દીકરી સોનિકા ગોવિલ અભ્યાસ પૂરો કરીને જોબ કરી રહી છે.
વાત કરીએ દીપિકા ચિલખિયાની તો તેમના લગ્ન હેમન્ત ટોપીવાલા સાથે થયા હતા અને તેમને બે દીકરીઓ છે. એકનું નામ નિધી અને બીજી દીકરીનું નામ જૂહી છે.
जनता की मांग पर कल शनिवार 28 मार्च से 'रामायण' का प्रसारण पुनः दूरदर्शन के नेशनल चैनल पर शुरू होगा। पहला एपिसोड सुबह 9.00 बजे और दूसरा एपिसोड रात 9.00 बजे होगा । @narendramodi@PIBIndia@DDNational
કોરોના વાયરસને કારણે દેશમાં લોકડાઉન હોવાથી લોકોના મનોરંજન માટે પ્રકાશ જાવડેકરે ટ્વિટ કરીને લોકોને આ ખુશીના સમાચાર આપ્યા છે. તેમણે લખ્યું- જનતાની માંગ પર શનિવાર 28 માર્ચથી 'રામાયણ'નું દૂરદર્શન પર ફરી પ્રસારણ શરૂ કરવામાં આવશે. પહેલો એપિસોડ સવારે 9 વાગ્યે અને બીજો એપિસોડ રાતે 9 વાગ્યે પ્રસારિત કરવામાં આવશે.