કેરલનાં મુખ્યમંત્રી પિનારાઇ વિજયન અને કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી સુરેશ પ્રભુએ રવિવારનાં રોજ કન્નૂર આંતરરાષ્ટ્રીય એરપોર્ટનું ઉદ્ઘાટન કર્યું. કન્નૂર એરપોર્ટ સાથે જ કેરલ ભારતનું પહેલું એક એવું રાજ્ય બની ગયું છે કે જ્યાં ચાર આંતરરાષ્ટ્રીય એરપોર્ટ છે.
મુખ્ય અતિથિઓ દ્વારા સવારનાં 10 કલાકથી એરપોર્ટથી પહેલી ફ્લાઇટ રવાના કરવામાં આવી. એર ઇન્ડીયાનાં વિમાને 180 યાત્રિઓ સાથે અબુ ધાબી માટે ઉડાણ ભરી. દરેક યાત્રીઓને કન્નૂર આંતરરાષ્ટ્રીય એરપોર્ટ લિમિટેડ (KIAL) તરફથી ભેટ પણ આપવામાં આવી.
તિરૂવનંતપુરમ કોચ્ચિ અને કોઝિકોડ બાદ આ ચોથું ઇન્ટરનેશનલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ છે. અબુ ધાબી માટે ઉડાણ ભર્યા પહેલાં એક સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન થયું કે જેમાં રાજનેતાઓ સહિત સેંકડો લોકોએ ભાગ લીધો.
અહીંથી પહેલા દિવસ માટે બે ફ્લાઇટો (ઉડાણ) નિર્ધારિત કરી દેવામાં આવી હતી. આ એરપોર્ટથી સંયુક્ત અરબ અમીરાત ઓમાન કતર સિવાય હૈદરાબાદ બેંગલુરૂ અને મુંબઇને માટે પણ ઘરેલૂ ફ્લાઇટો સંચાલિત થશે.