અમદાવાદમાં એક રાઈડ તૂટવાની ઘટના ઘટી હતી જેમાં 2 લોકોના મોત અને અનેક લોકો ઇજાગ્રસ્ત થાય છે. ત્યારે આ પ્રકારની ઘટનાઓ લોકોમાં ડર ઉભો કરે છે. મોટા શહેરોના શહેરીજન રોજ અનેક પ્રકારના ડરો વચ્ચે જીવી રહ્યા છે. જેવા કે રોડ પર કંઇક જાય તો કોઇ બસ કે ટ્રક તેમને ટક્કર ન મારી દે, પૂરપાટ ઝડપે ચાલતી કારો તેને ઝપેટમાં ન લઇ લે, બિમાર પડે તો ડૉક્ટરો લૂંટી ન લે તેનો ડર, મોલ-દુકાનોમાં વસ્તુ લે તો ડુપ્લિકેટનો ડર, બહાર ભોજન લે તો બિમાર પડવાનો ડર, ગાર્ડનમાં જાય તો આવી રાઈડોનો ડર... તો આ ડગલેને પગલે શહેરીજનો ભયમાં જીવી રહ્યા છે. તેમાંથી લોકો 'ક્યારે થશે મુક્ત ? એક શહેરીજન રોજ આટલા ડર સાથે ફરી રહ્યો છે'