જવાહરલાલ નેહરૂ યુનિવર્સિટી (JNU)માં 5 જાન્યુઆરીએ વિદ્યાર્થીઓની સાથે થયેલ હિંસાને લઇને ગુરૂવારે JNU વિદ્યાર્થી સંગઠન અને JNUના શિક્ષક એસોસિએશને વિરોધ માર્ચ યોજી હતી. આ માર્ચમાં JNU વિદ્યાર્થી સંઘના પૂર્વ અધ્યક્ષ અને સીપીઆઈના નેતા કનૈયાકુમાર પણ સામેલ થયા.
કનૈયાકુમારે ભાજપ અને ગૃહમંત્રી અમિત શાહ પર આકરા પ્રહાર કર્યા
અમે દેશના ટુકડા નહીં પરંતુ ભાજપના ટુકડા કરીશુંઃ કનૈયા
સરકાર જે પ્રાઇવેટ જહાજ પર ઉડે છે, જે પોતાના મિત્રોને મોટા કોન્ટ્રાક્ટ આપે છેઃ કનૈયા
દિલ્હીમાં મંડી હાઉસથી માનવ સંસાધન વિકાસ મંત્રાલય સુધી યોજવામાં આવેલ માર્ચ દરમિયાન કનૈયાકુમારે ભાજપ અને ગૃહમંત્રી અમિત શાહ પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું કે દેશના ગૃહમંત્રી અમને ટુકડે-ટુકડે કહીને બોલાવે છે. તો હું તેને બસ એટલું જણાવી દેવા માંગુ છું કે અમે દેશના ટુકડા નહીં પરંતુ ભાજપના ટુકડા કરીશું.
કનૈયાકુમારે આ દરમિયાન કહ્યું કે, JNU કહે છે કે આ દેશમાં જનતાની પસંદ કરેલ સરકાર છે, જનતાએ ટેક્સ આપ્યો છે. સરકાર જે પ્રાઇવેટ જહાજ પર ઉડે છે, જે પોતાના મિત્રોને મોટા કોન્ટ્રાક્ટ આપે છે. તે સરકારની જવાબદારી છે કે તેઓ સરકાર શિક્ષણ સંસ્થાનને બચાવો, રેલવે બચાવો.
રાષ્ટ્રવાદના નામ પર સરકાર રાષ્ટ્રીય સંપત્તિઓને વેચવાની બંધ કરે. કનૈયા કુમારે કહ્યું કે તમને શું લાગે છે કે ક્યારેય રિઝર્વેશનને ગાળી આપીને, ક્યારેય મેરિટનું તર્ક લાવીને આપણી લડાઈ ગેરમાર્ગે દોરશે. અમે તમારી સાથે ચર્ચા કરવા માટે તૈયાર છીએ. મેરિટ એ હોય છે કે આ યુનિવર્સિટીમાં ગરીબથી ગરીબ બાળકને પોતાના મેરિટથી અહીં ભણવા આવી શકે.
કનૈયાકુમારે કહ્યું કે JNU માત્ર આજની પેઢી માટે નથી લડતું. તેઓ આગળની પેઢી માટે લડે છે. અમે માત્ર પોતાના માટે નહીં જીવવાનું શીખે છે. કનૈયાએ કહ્યું કે આ દેશના બંધારણ તમામ નાગરિકોને ભણવા અને સપના જોવાનો અધિકાર આપે છે. તમે અમારા સપનાઓને મિટાવવા માંગો છો, અમે નહીં તેને મરવા દઇએ. તમને ભ્રમ છે કે પોલીસથી માર ખવરાવીને અમને રોકી દેશો.