પોતાના નિવેદનો માટે જાણીતી હિરોઇન કંગના રનૌત હંમેશા ચર્ચામાં રહે છે. બોલિવૂડની પંગા ક્વિન સોશ્યલ મિડીયા પર હંમેશા ચર્ચામાં રહેતી હોય છે. સુશાંત કેસમાં આગળ આવીને બોલનાર અભિનેત્રી બોલિવૂડ વિશે ખુલ્લેઆમ વાતો કરતી રહે છે, હાલમાં જ મુંબઇને પીઓકે બતાવનાર કંગના ઉપર બોલિવૂડ સેલેબ્સની નારાજગી જોવા મળી રહી છે. તેને ધમકીઓ મળી છે કે તેને જો પોતાનો જીવ વ્હાલો હોય તો તે મુંબઇ પાછી ન આવે.
કંગના રનૌતે કરી શિવસેનાને ચેલેન્જ
ટ્વિટ કરી મુંબઇ આવવાની આપી જાણકારી
સંજય રાઉતે આપી હતી કંગનાને ધમકી
કંગનાએ એક ટ્વીટ કરી છે કે, મને ખબર છે કેટલાક લોકો મને ધમકીઓ આપી રહ્યા છે કે મારે મુંબઇ પાછુ ન આવવુ જોઇએ, માટે મેં નિર્ણય કર્યો છે કે હવે 9 સપ્ટેમ્બર હું મુંબઇ પાછી આવીશ. જ્યારે હું મુંબઇ એરપોર્ટ પર ઉતરીશ ત્યારે સમય પણ શૅર કરીશ, કોઇના બાપની તાકાત હોય તો રોકી લો.
I see many people are threatening me to not come back to Mumbai so I have now decided to travel to Mumbai this coming week on 9th September, I will post the time when I land at the Mumbai airport, kisi ke baap mein himmat hai toh rok le 🙂 https://t.co/9706wS2qEd
કંગનાની આ ટ્વિટ બાદ લોકો તેના સપોર્ટમાં ઉતર્યા છે અને તેને સિંહણ અને ક્વિન નામે સંબોધી રહ્યાં છે. તમને જણાવી દઇએ કે ગુરુવારે કંગનાએ ટ્વિટ કર્યુ હતુ કે શિવસેના નેતા સંજય રાઉતે તેને ખુલ્લી ધમકી આપી છે અને કહ્યું છે કે મુંબઇ પાછી ન આવતી.
नसीरुद्दीन, अमीर खान बोले इंडिया में डर लगता हैं - तो हीरो
कंगना बोले मुंबई में डर लगता हैं - तो विलेन
जो आज कंगना को कह रहे हैं मुम्बई मत आना
उन्होंने कभी नसीरुद्दीन , आमिर खान को बोला अब इंडिया मत आना ???
કંગનાની આ ટ્વિટ પર શિવસેનાના સામનામાં તેની આલોચના કરવામાં આવી હતી. લખવામાં આવ્યું હતુ કે, અમે કંગનાને નિવેદન કરીએ છીએ કે, તે હવે પાછી મુંબઇ ન આવે. મુંબઇમાં રહીને મુંબઇ પોલિસની આલોચના કરવા માટે ગૃહમંત્રાલયે તેના પર કાર્યવાહી કરવી જોઇએ.