નરેન્દ્ર મોદી અને 2024ની ચૂંટણીને લઈને કંગના રનૌતે કરી દીધી ભવિષ્યવાણી, જાણો શું કહ્યું એક્ટ્રેસે.
કંગના રનૌતે કરી ભવિષ્યવાણી
2024ની ચૂંટણી અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી અંગે કહી આ વાત
કંગનાની ટ્વિટ થઈ રહી છે વાયરલ
બોલિવૂડ એક્ટ્રેસ કંગના રનૌત ઘણીવાર તેની વિવાદાસ્પદ પોસ્ટને કારણે ચર્ચામાં રહે છે. કંગના રનૌત સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે અને અલગ અલગ મુદ્દાઓ પર પોતાનો અભિપ્રાય આપે છે. કંગનાનો બેબાક અંદાજ ઘણીવાર તેના માટે મુશ્કેલીનું કારણ બની જાય છે. કંગના ઘણીવાર તેના ટ્વિટને લઇને ટ્રોલ થતી રહે છે અને હવે તે ફરી એકવાર એક ટ્વિટને કારણે ચર્ચામાં આવી ગઈ છે. કંગનાએ 2024ની ચૂંટણી અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી અંગે ટ્વિટ કર્યું છે.
આ ટ્વિટ્સની ચર્ચા હવે થઈ રહી છે. આ ટ્વિટમાં કંગનાએ 2024ની ચૂંટણીના પરિણામનો દાવો કર્યો છે. એક રિપોર્ટ શેર કરતી વખતે કંગનાએ લખ્યું છે કે હું સસ્પેન્ડ થવાની કિંમતે કહું છું, કે 2024માં પણ ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જ બનશે. કંગનાનું આ ટ્વિટ જ્યાં કેટલાક લોકોને પસંદ આવી રહ્યું છે, તો કેટલાક લોકોએ તેને લઈને પ્રતિક્રિયા આપી રહ્યાં છે. આ ટ્વિટ પર એક યુઝરે એવું કંઈક લખ્યું કે જે બાદ કંગનાએ અન્ય ટ્વિટ્સ કર્યા.
He does not need us we need him, Akhand Bharat needs him,what he needs is probably a little break from all the hostility/negativity he receives on our behalf,he will be pleased to get that break but we need to make sure we get him again as our Prime Minister #India_With_PM_Modihttps://t.co/EV3eDtIJ4M
કંગનાના આ ટ્વિટ પર પ્રતિક્રિયા આપતાં એક યુઝરે લખ્યું કંગના, હું તમારો એક મોટો ફેન છું. પરંતુ, ભાજપમાં એક નિયમ છે, જે ખુદ મોદીજીએ નક્કી કર્યો છે. આ નિયમ છે કે કોઈ પણ રાજકારણી 75 વર્ષની ઉંમર પછી ચૂંટણી લડશે નહીં. 2024 માં મોદી પણ 75ની ઉપરના થઈ જશે, પછી જો તેઓ વડા પ્રધાન બને તો એ તેમનો દેખાડો કરનાર વ્યવહાર હશે.
તેના જવાબમાં કંગનાએ ટ્વિટ કર્યું તેમને આપણી નહીં પણ આપણે તેમની જરૂર છે. અખંડ ભારતને તેમની જરૂર છે. તેમને કદાચ નાનકડા બ્રેકની જરૂર છે. કારણ કે તેમને નકારાત્મકતાનો સામનો કરવો પડે છે. તે વિરામથી ખુશ રહેશે, પરંતુ આપણે ખાતરી કરવી જરૂરી છે કે આપણે તેમને આપણા વડા પ્રધાન તરીકે પસંદ કરીએ.