સુશાંત સિંહ રાજપૂતના નિધન બાદ કંગના રનૌતે તાપસી પન્નૂ, સ્વરા ભાસ્કર, કરન જોહર, આલિયા ભટ્ટ, અનુરાગ કશ્યપ, મહેશ ભટ્ટ પર આક્ષેપ લગાવી ચૂકી છે. હવે કંગનાના નિશાને સુશાંતની છેલ્લી ફિલ્મની લીડ એક્ટ્રેસ સંજના સંઘી છે. કંગનાએ સંજનાને આડેહાથ લઇ લીધી છે. સુશાંતના ગયા બાદ સંજના ખૂબ દુખી છે અને સુશાંત સાથેની તેની મેમરીઝ શૅર કરતી હોય છે ત્યારે કંગનાએ તેને કહ્યું કે જ્યારે તે જીવતો હતો ત્યારે કેમ કંઇ બોલી નહી અને હવે જ્યારે તે હયાત નથી ત્યારે આ બધી ચીજોનો શું મતલબ.
કંગનાના નિશાને સંજના સંઘી
સંજનાના નિવેદન બાદ કંગનાએ લીધી આડેહાથ
સુશાંતના મોત બાદની પોસ્ટને ગણાવી નાટક
દિલ બેચારાની શુટિંગ દરમિયાન સુશાંતે સંજના સંઘી સાથે ગેરવર્તન કર્યુ હતુ તેવી ચર્ચાએ જોર પકડ્યું હતું, તે વાતને સંજનાએ નકારી કાઢી છે અને કહ્યું છે કે સુશાંતે તેની સાથે કોઇ ગેરવર્તન કર્યુ નથી.
Many blinds claimed tht Sushant raped Sanjana,such news abt her harassment wr common in those days,Why Sanjana took her own sweet time to clarify?Why she nvr spoke so passionately abt her friendship with him when he ws alive? @mumbaipolice cn investigate🙏https://t.co/C2wvzuXuGU
સંજનાના આ નિવેદન પર કંગનાએ નિશાન સાધ્યુ છે અને કહ્યું છે કે સુશાંત જ્યારે જીવતો હતો ત્યારે પણ આ ખબર આવી હતી કે સુશાંતે સંજનાનું યૌન શોષણ કર્યુ છે. ત્યારે કેમ સંજનાએ ક્લારિફાય ન કર્યું. તેમની વચ્ચે આટલી સારી મિત્રતા હતી તો શા કારણે તેણે સુશાંતની હયાતીમાં થોડો ટાઇમ કાઢીને કેમ વાત ન કરી, હવે જ્યારે તે હયાત નથી ત્યારે તેની સાથેની સારી મિત્રતા દર્શાવવી છે.
શું હતુ સંજનાનુ નિવેદન
પિન્કવિલા સાથેના એક ઇન્ટરવ્યૂમાં સંજનાએ કહ્યું હતું કે, સુશાંતે તેની સાથે ક્યારેય કોઇ ગેરવર્તન કર્યુ નહોતું. બંનેને ખબર હતી કે તે કેટલા સાચા છે. જ્યારે આ પ્રકારની અફવા આવવા લાગી ત્યારે અમને દુખ થયુ હતુ કે શા કારણે જે ઘટના બની જ નથી તેના પર આટલી વાત કરવામાં આવી રહી છે. સુશાંત અને મારી મિત્રતા પર આ પ્રકારની સ્ટોરીઓની કોઇ જ અસર થઇ ન હતી. હવે લોકોને કેવી રીતે સમજાવીએ કે સુશાંત અને મારા વચ્ચે બધુ જ ઠીક હતું. માત્ર સુશાંત નહી હું પણ આ વાતથી ખૂબ જ પરેશાન હતી અને લોકોને એવું જ લાગે છે કે સુશાંતના ડિપ્રેશનમાં આ વાત મેજર હતી પરંતુ મને પણ એટલી જ પરેશાની થઇ હતી.