ગાયના નામે થઈ રહેલી મોબ લિન્ચિંગ રોકવા માટે હવે મધ્યપ્રદેશની સરકાર સખત કાયદો બનાવવા જઈ રહી છે. આ કાયદા હેઠળ પોતાને ગૌરક્ષક બતાવીને હિંસા કરનારા લોકો વિરૂદ્ધ સખત કાર્યવાહી હાથ ધરાશે. સરકાર આ સંશોધન બિલ વિધાનસભાના મોનસૂન સત્રમાં રજૂ કરવા માગે છે.
જો આ બિલ પાસ થશે તો મધ્યપ્રદેશમાં આવા મામલે અલગ કાયદો બનાવવામાં આવશે. હાલ મધ્યપ્રદેશમાં ગૌવંશની હત્યા, ગૌ માંસ રાખવું અને તેને સાથે લઈ જવું કે લાવવા પર સંપૂર્ણ રોક છે. જો આ બિલ પાસ થશે તો પાંચ વર્ષની સજા અને દંડની પણ જોગવાઈ હશે.
અત્યારે કેવો છે કાયદો...
મધ્ય પ્રદેશમાં અત્યારે જે કાયદો લાગૂ છે, તેના હેઠળ ગૌવંશની હત્યા, ગૌમાંસ રાખવા અને તેને લઇજવા પર રોક છે. તેમાં ગૌવંશના નામ હિંસા યા મોબ લિન્ચિંગનો કોઇ ઉલ્લેખ નથી.
સંશોધિત કાયદો કેવો હશે...
સંશોધન બાદ હવે કોઇ વ્યક્તિ ગૌવંશનો વધ, ગૌમાંસ અને ગૌવંશનું પરિવહન, માંસ રાખવા અથવા સહયોગ કરવા અથવા તેના હેઠળ હિંસા અથવા નુકસાન નહી કરવા પર પાંચ વર્ષ સુધીની સજા અને દંડનું પ્રાવધાન હશે.
હિન્દુસ્તાન બન્યું 'લિંચિસ્તાન'!
દેશમાં ક્યારેક ચોરી તો ક્યારેક ગાયના નામ પર હિંસાને લઇના રોજ-રોજ નવા મામલાઓ સામે આવી રહ્યાં છે. હમણાં હાલમાં જ ઝારખંડના સરાયકેલા ખરસાવામાં ચોરીના શકમાં ગુસ્સામાં થયેલી ભીડે એક યુવકને એટલો બધો માર્યો કે તેનું મૃત્યું થઇ ગયું. યુવકની ઓળખ તબરેજ અંસાર તરીકે કરવામાં આવી. ઝારખંડ દેશનું એકમાત્ર રાજ્ય નથી જ્યાં મોબ લિંચિગની ઘટના સામે આવી છે. છેલ્લા થોડા વર્ષોમાં ભારતમાં ઘણીબધી જગ્યાએ મોબ લિંચિગની ઘટના બની છે.
ગૌરક્ષાના નામે સૌથ વધુ મોબ લિંચિંગ
દેશમાં 2009થી 2019 સુધી ક્રાઇમના 287 મોટા કેસ થયા છે. જેમાં 98 લોકોના મોત નિપજ્યાં છે, જ્યારે 722 લોકો ઇજાગ્રસ્ત થયા છે. ગૌ રક્ષાના મામલે સૌથી વધુ મોબ લિંચિંગ મામલાઓ સામે આવ્યાં છે. 2014થી અત્યાર સુધીમાં 125 કેસ સામે આવ્યાં છે. જેમાં 48 લોકોના મોત થયા છે.