યુપીમાં દીકરી સાથે થયેલ જઘન્ય અપરાધ બાદ દેશભરમાં આક્રોશ છે અને યુપી પોલીસ તથા સરકાર સામે સવાલો ઉભા થઇ રહ્યા છે ત્યાં ભાજપના દિગ્ગજ નેતાએ મોટું નિવેદન આપ્યું છે.
ગેંગરેપ પીડિતાનું દિલ્હીમાં સારવાર દરમિયાન થયું હતું મોત
હાથરસ પોલીસે મોડીરાતે દબાણપૂર્વક અંતિમ સંસ્કાર કર્યા હોવાનો આરોપ
હાથરસમાં દલિત દીકરી સાથે જઘન્ય કૃત્ય બાદ ચાર આરોપીની ધરપકડ
અમે આરોપીઓને ઝડપી લીધા છે, કેસ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં જઈ રહ્યો છે : કૈલાશ વિજયવર્ગીય
દેશભરમાં આક્રોશ છે ત્યાં ધીરજ રાખવા ભાજપ નેતાની શિખામણ
દેશભરને આક્રોશિત કરનાર હાથરસ ગેંગરેપ અને મર્ડર કેસને લઈને ભાજપના સિનીયર નેતાએ મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે થોડી ધીરજ રાખવી જોઈએ. યોગી આદિત્યનાથના ઉત્તર પ્રદેશમાં ગમે ત્યારે ગાડી પલટી જાય છે. તેમનો ઈશારો વિકાસ દુબેના એન્કાઉન્ટર તરફ હતો જ્યારે તે કુખ્યાત ડોનને મધ્યપ્રદેશથી કાનપુર લાવતી વખતે પોલીસની ગાડી પલટી ખાઈ ગઈ હતી. એટલું જ નહીં હાલમાં જ એવી બીજી ઘટના પણ થઇ જેમાં મુંબઈથી બે દોષીઓને લાવી રહેલી યુપી પોલીસની ગાડી પલટી ગઈ જે બાદ એકની ઘટનાસ્થળે જ મોત થઇ ગઈ જ્યારે બીજો ઈજાગ્રસ્ત થયો.
#WATCH The accused have been arrested. The case has been sent to a fast-track court. The accused will be sent to jail... Yogi Ji jo wahan ke CM hain, main jaanta hun ki unke pradesh main kabhi bhi gaadi palat jati hai: BJP leader Kailash Vijayvargiya on #Hathras gang-rape case pic.twitter.com/ksSERx3nu0
પત્રકારોએ જ્યારે હાથરસ કાંડ પર સવાલ કર્યો ત્યારે વિજયવર્ગીયએ કહ્યું કે જુઓ અમે આરોપીઓને ઝડપી લીધા છે. કેસ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં જઈ રહ્યો છે. મને લાગે છે કે થોડી ધીરજ રાખવી જોઈએ. બધા આરોપીઓ જેલના સળીયા પાછળ ધકેલાશે કારણ કે યોગીજી જે ત્યાંના મુખ્યમંત્રી છે, તેમના પ્રદેશમાં ગમે ત્યારે ગાડી પલટી જાય છે.
Members of the community of #Hathras gang-rape victim, protest in the city demanding justice for her. The protesters also raised slogans against Police and local administration. pic.twitter.com/b3lIz9saMo
બીજી તરફ હાથરસની દીકરીના શબને રાતોરાત ગુપચુપ રીતે અંતિમ સંસ્કાર મુદ્દે વિરોધ થઇ રહ્યો છે અને આ મામલે પોલીસ પર પણ સવાલો ઉભા થઇ રહ્યા છે. વિપક્ષી દળો યોગી આદિત્યનાથ સરકાર પર સવાલ ઉઠાવી રહ્યા છે અને જંગલરાજના આરોપ લાગી રહ્યા છે. બીજી તરફ પીએમ મોદીએ પણ યોગીને કડક કાર્યવાહી કરવાના આદેશ આપ્યા છે.
પોલીસ પર પથ્થરમારા બાદ પરિસ્થિતિ નાજુક
હાથરસમાં દીકરી સાથે જે જઘન્ય કૃત્ય કરવામાં આવ્યું તે બાદ લોકોમાં ખૂબ આક્રોશ છે. હાથરસમાં જ્યારે યુપીના મંત્રી ભુપેન્દ્ર ચૌધરી પહોંચ્યા તો તેમણે વિરોધનો સામનો કરવો પડ્યો. દીકરીનું દાહ સંસ્કાર કરવા મુદ્દે અત્યારે દલિત સમુદાર ભભૂકી ઉઠ્યો છે અને બીજી તરફ સફાઈ મજૂર સંઘે પણ સફાઈ કામ બંધ કરી દેવાની જાહેરાત કરી છે