નગરપાલિકાઓ દ્વારા એક તરફ ગ્રાન્ટ નહીં ફાળવાતી હોવાની બૂમો પડાતી હોય છે તો બીજી તરફ મળેલી ગ્રાન્ટનો દુરુપયોગ થતો હોવાની ઘટના પણ સામે આવી રહી છે. જૂનાગઢ જિલ્લાની વંથલી નગરપાલિકા સતત વિવાદનાં વમળાં ઢસડાતી જોવા મળતી રહે છે. તેવામાં હવે વધુ એક વિવાદ આ નગરપાલિકાના સત્તાધીશોનાં નામે સામે આવ્યો છે. વંથલી નગરપાલિકામાં 14માં નાણાંપંચની ગ્રાન્ટમાંથી બિન જરૂરી અને વેચાણ કિંમત કરતા વધુ ભાવે ચીજ વસ્તુઓ ખરીદી કરવામાં આવી હોવાનો આક્ષેપ થયો છે.
નગરપાલિકાઓ દ્વારા એક તરફ ગ્રાન્ટ નહીં ફાળવાતી હોવાની બૂમો પડાતી હોય છે તો બીજી તરફ મળેલી ગ્રાન્ટનો દુરુપયોગ થતો હોવાની ઘટના પણ સામે આવી રહી છે. વંથલી નગરપાલિકામાં 14માં નાણાંપંચની ગ્રાન્ટમાંથી બિન જરૂરી અને વેચાણ કિંમત કરતા વધુ ભાવે ચીજ વસ્તુઓ ખરીદી કરવામાં આવી હોવાનાં આક્ષેપ થઈ રહ્યાં છે. તો ભ્રષ્ટાચારમાં સંડોવણીના કોણે કોના પર લગાવ્યાં છે આ સવાલોનાં તીર તે જોઈએ આ અહેવાલમાં.
જૂનાગઢ (Junagadh) જિલ્લાની વંથલી નગરપાલિકા (Municipality ) સતત વિવાદનાં વમળાં ઢસડાતી જોવા મળતી રહે છે. તેવામાં હવે વધુ એક વિવાદ આ નગરપાલિકાના સત્તાધીશોનાં નામે સામે આવ્યો છે. વંથલી (Vanthli) નગરપાલિકામાં 14માં નાણાંપંચની ગ્રાન્ટમાંથી બિન જરૂરી અને વેચાણ કિંમત કરતા વધુ ભાવે ચીજ વસ્તુઓ ખરીદી કરવામાં આવી હોવાનો આક્ષેપ થયો છે. કેમ કે, સરકારની 14માં નાણાંપંચની ગ્રાન્ટમાંથી વંથલી નગર પાલિકા દ્વારા ફર્નિચર, સ્કૂલની બેંચ, ડિજિટલ બોર્ડ, આર. ઓ. પ્લાંટ, કચરો એકઠો કરવાની રિક્ષા, મોબાઈલ ટોયલેટ, ડસ્ટબીન અને સ્ટીલ બેંચો વગેરેની ખરીદી કરવામાં આવી છે.
કોંગ્રેસ શાસિત સત્તાધારી પાર્ટીનાં ખુદ ઉપપ્રમુખ અને નગરપાલિકાનાં પૂર્વ સભ્યનું કહેવું છે કે, નગરપાલિકાનાં પ્રમુખે આ બધી બિન જરૂરી ખરીદી કરીને મોટા પાયે ભ્રષ્ટાચાર કર્યો છે. તેમનું કહેવું છે કે, ગૃહ વિભાગનાં પરિપત્ર મુજબ ફર્નિચરની ખરીદી આ ગ્રાન્ટમાંથી કરી શકાતી નથી. આ બાબતે વંથલી નગરપાલિકા ચીફ ઓફિસરને પણ ઉપ પ્રમુખ દ્વારા લેખિત રજૂઆત કરવામાં આવી હતી છતાં પણ આવી ખરીદી કરવામાં આવી છે.
આ આક્ષેપો સામે નગરપાલિકા પ્રમુખ સિરાજ વાજા એવું કારણ જણાવે છે કે, સરકાર શ્રીની એજન્સી જેમ્સ એટલે કે, ગુજરાત ઈ-માર્કેટ પ્લસ દ્વારા આ ખરીદી કરવામાં આવી છે. જે માટે નિયમાનુસારની પ્રક્રિયા અનુસરવામાં આવી છે. વળી ખરીદી તો સરકારની નિયુક્ત કરેલ એજન્સી જ કરે છે. પરંતુ તમે આ દરેક વસ્તુ સામે ચૂકવેલી કિંમત સ્કૂલ માટે ખરીદાયેલી બેંચિસ માટે પ્રત્યેક બેંચનું રૂ. 7,515નું ચૂકવણુ કરાયું છે. તો ડિજિટલ બોર્ડનાં એક નંગ 49,500 રૂપિયા ચુકવાયા છે.
રૂ. 1,39,851નાં તો માત્ર વોટર કુલર જ ખરીદાયા છે. પાંચ લાખ સડસઠ હજાર રૂપિયા (5,67,000)નાં ખર્ચે થ્રિ સિટર મોબાઈલ ટોયલેટવાની ખરીદી કરાઈ છે. ડસ્ટબીન એક નંગના 8,167, અને ટ્વીન બિન 1 નંગનાં રૂ. 5163 રૂપિયા ચુકવાયા છે. તો કચરો કલેક્ટ કરવા માટેની એક રીક્ષા રૂપિયા ચાર લાખ અગિયાર હજાર સાત સો પચ્ચીસમાં ખરીદવામાં આવી છે. થ્રિ સિટર એમ. એસ. બેન્ચ એક નંગની કિંમત રૂ. 13000 ચુકવવામાં આવી છે જે તેની ખરેખર મૂળ કિંમત કરતા અનેક ગણી વધુ છે.
ચીજ વસ્તુની પ્રવર્તમાન બજાર કિંમત કરતાં ઊચા ભાવે ખરીદી માટે નગર પાલિકા પ્રમુખ પોતાનો બચાવ કરતાં એવું કહે છે કે, તેમણે સરકાર શ્રીની એજન્સી જેમ્સ દ્વારા આ ખરીદી કરી છે. આ માટે નગરપાલિકા દ્વારા આવશ્યક ચીજવસ્તુની ખરીદીનો ઠરાવ કરી સરકારમાં મોકલ્યો હતો અને આ ખરીદીતો સરકારે નિયુક્ત કરેલી એજન્સી જ કરે. જો ભ્રષ્ટાચાર થયો હોય તો સરકાર અથવા સરકારની એજન્સીએ કર્યો છે તેમ કહીને તેમણે હાથ ઊંચા કરી દીધાં છે.
ખરીદ કરવામાં આવેલ ચીજ વસ્તુ જો કોમ્યુનિટી એસેટમાં ન સમાવી શકાય તેમ હોય તો સામાન્ય સભામાં ઠરાવ વખતે સભ્યોએ તેનો વિરોધ કેમ ન કર્યો? વિહિપનાં અનાદરમાં ઉપ પ્રમુખ પર કાર્યવાહી થાય અને પદ છોડવાનો વારો ન આવે એટલે સામાન્ય સભામાં સૌની હામાં હા મિલાવી? ભ્રષ્ટાચાર અટકાવવો જરૂરી હતો કે સત્તામાં રહેવું? તેવો વેધક સવાલ લોકોમાં ચર્ચાઈ રહ્યાં છે. તો હવે આ ભ્રષ્ટાચાર કર્યો કોને? નગરપાલિકા પમુખે કે સરકારની એજન્સી જેમ્સે? જે હોય તે પણ ક્યાંક ને ક્યાંક લોકોનાં ટેક્સનાં પૈસાનો ગેર ઉપયોગ થઇ રહ્યો છે તે તો ચોક્કસ છે.