ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ શનિવારે એક પ્રેસ કોન્ફરન્સ કરી કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ સોનિયા ગાંધી પર સીધું નિશાન તાક્યું હતું. સાથે જ નડ્ડાએ દેશની જનતાનો હવાલો આપતા સોનિયા ગાંધીને 10 સવાલ પૂછ્યા હતા.
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ યોજા પ્રેસ કોન્ફરન્સ
કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ પર કર્યા આકરા પ્રહાર
તેમણે જણાવ્યું હતું કે, હું સોનિયાજીને કહેવા માગું છું કે, કોરોનાને કારણે અથવા ચીનની સ્થિતિને કારણે મૂળ પ્રશ્નોથી બચવાનો પ્રયાસ ન કરો. ભારતની ફોજ દેશની અને આપણી સીમાઓની રક્ષા કરવા માટે સક્ષમ છે અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશ સુરક્ષિત છે.
It's a sacrifice of national interest to accept money from foreign powers in personal trust. The country wants to know what transpired between the Rajiv Gandhi Foundation and the Chinese government?: BJP Chief JP Nadda https://t.co/o9UC5zpBYm
Why did you take donation in Rajiv Gandhi Foundation from Mehul Choksi and give loan to him? The country wants to know as to why the foundation took money from Mehul Choksi and what is the relation between Mehul Choksi and Rajiv Gandhi Foundation?: BJP Chief JP Nadda pic.twitter.com/1V0zABLdPA
તેમણે કહ્યું કે 130 કરોડ દેશવાસીઓ જાણવા માંગે છે કે સત્તામાં રહેતાં કોંગ્રેસે શું કામ કર્યું છે અને તમે દેશના વિશ્વાસ સાથે કેવી રીતે દગો કર્યો છે. ચીન અને કોંગ્રેસ વચ્ચેના સંબંધ પર સવાલ ઉઠાવતા તેમણે કહ્યું કે રાજીવ ગાંધી ફાઉન્ડેશનને ચીન તરફથી નાણાં કેમ આપવામાં આવ્યા?
People of India want to know that why the accounts of Rajiv Gandhi foundation refused for the CAG auditing? Why was RTI not applicable to the foundation?: BJP Chief Jagat Prakash Nadda pic.twitter.com/ygLpHHLdpc
તેમણે કહ્યું કે મેં થોડા દિવસો પહેલા ટ્વીટ કરીને રાજીવ ગાંધી ફાઉન્ડેશન પર પ્રશ્નો ઉભા કર્યા હતા, આજે પી.ચિદમ્બરમ કહે છે કે ફાઉન્ડેશન પૈસા પાછા આપશે. દેશના ભૂતપૂર્વ નાણા પ્રધાન, જે પોતે જામીન પર છે, એ સ્વીકારવું પડશે કે શાસનની અવગણના કરીને ફાઉન્ડેશને દેશની બદનામીમાં ભંડોળ કેમ લીધું.