જમ્મૂમાં સુરક્ષાબળોએ આતંકી ષડયંત્રને નિષ્ફળ કરી દીધું છે. અહીંયા પર એક બસ સ્ટેન્ડની પાસે બસમાંથી 15 કિલો વિસ્ફોટક મળ્યો છે. વિસ્ફોટક બેગમાંથી મળ્યો છે. કઠુઆમાં બિલાવરમાં બસના કંડક્ટરને બેગ આપી હતી.
જમ્મૂ બસ સ્ટેન્ડની પાસે બસમાં 15 કિલોનો વિસ્ફોટક જપ્ત
સુરક્ષાબળોએ રાજ્યમાં મોટા આતંકી ષડયંત્રને નિષ્ફળ કર્યું
માર્ચમાં જમ્મૂ બસ સ્ટેન્ડ પર આતંકીઓએ કર્યો ગ્રેનેડથી હુમલો
જમ્મૂમાં બસ સ્ટેન્ડ પહેલા પણ આતંકીઓની નિશાના પર રહ્યા છે અને સુરક્ષા બળોએ આજે મંગળવારે જમ્મૂ બસ સ્ટેન્ડની પાસે એક બસમાંથી આશરે 15 કિલો વિસ્ફોટક જપ્તક કરીને મોટા આતંકવાદી ષડયંત્રને નિષ્ફળ કરી દીધો છે. આ બેગ કઠુઆ જિલ્લાના બિલાવર તહસીલથી આવી રહી હતી. બેગને બસ કંડક્ટરને આપવામાં આવી હતી.
હાલ સુરક્ષાબળોએ વિસ્ફોટકોને જપ્ત કરી લીધો છે. ભારે પ્રમાણમાં વિસ્ફોટક જપ્ત કર્યા બાદ હવે એની તપાસ કરવામાં આવી રહી છે. એક શંકાસ્પદને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે અને એની પૂછપરછ કરવામાં આવી રહી છે.
બસમાં શંકાસ્પદ સામાન હોવાની સૂચના મળ્યા બાદ સુરક્ષાબળોએ જમ્મૂ બસ સ્ટેન્ડની પાસે બસને રોકી અને એની તપાસ કરવામાં આવી. તપાસમાં વિસ્ફોટકોથી ભરેલી બેગ જપ્ત થઇ. એક શંકાસ્પદને પકડીને એની પૂછપરછ કરવામાં આવી રહી છે.
ઉલ્લેખનીય છે કે આ પહેલા જમ્મૂ બસ સ્ટેન્ડ પર આતંકી પોતાના ષડયંત્રને અંજામ આપતા રહ્યા છે. આ વર્ષે 7 માર્ચે જમ્મૂ બસ સ્ટેન્ડ પર આતંકીઓને ગ્રેનેડ હુમલો કરી દીધો હતો. આ હુમલામાં 2 લોકોનો મોત થયા જ્યારે 30 થી વધારે ઘાયલ થઇ ગયા હતા.
ત્યારે જમ્મૂ-કાશ્મીરના રાજ્યપાલ સત્યપાલ મલિકે મૃતકોના નજીકના સંબંધીઓને 5 5 લાખ અને પ્રત્યેક ઘાયલને 20,000 રૂપિયાની મદદ કરવાની જાહેરાત કરી હતી.