ભારતમાં વધુ એક કંપનીએ બાળકોમાં વેકસીનેશન ટ્રાયલ માટે પરવાનગી માગતા હવે ટૂંક સમયમાં કદાચ ભારતને બાળકો માટેની વેક્સિન ઉપલબ્ધ થાય તેવી સંભાવના છે.
કોરોનાકાળ વચ્ચે ભારતમાં બાળકો માટે વધુ એક વેક્સિન આવી શકે છે. આ વેક્સિનને બનાવનાર ફાર્મા કંપનીએ સરકાર પાસેથી ટ્રાયલ માટે પરવાનગી માંગી છે.
બાળકો માટે વધુ એક વેક્સિનને મળી શકે છે મંજૂરી
જોનસન એન્ડ જોનસને માંગી પરમીશન
Zycov-Dના આપવામાં આવશે ત્રણ ડોઝ
ભારતમાં કોરોનાવાયરસ સંક્રમણની ત્રીજા લહેરની આશંકા વચ્ચે, બાળકો માટે વધુ એક વેક્સિનને મંજૂરી મળી શકે છે. ફાર્મા કંપની જોનસન એન્ડ જોનસને ભારતમાં 12-17 વર્ષના બાળકો માટે વેક્સિનનું ટ્રાયલ કરવાની પરવાનગી માંગી છે. જોનસન એન્ડ જોનસના પરવાનગી માંગવાના સમાચાર એવા સમયે આવ્યા જ્યારે કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવીયાએ કહ્યું કે બાળકો માટે વિકસાવવામાં આવી રહેલી કોવિડ -19 વેક્સિન પર ચાલી રહેલા સંશોધનના પરિણામો આવતા મહિને આવી શકે છે. તેમણે કહ્યું હતું કે આ વેક્સિન ટૂંક સમયમાં જ ઉપલબ્ધ થઈ શકે છે.
ટૂંક સમયમાં જ ઉપલબ્ધ થશે
માંડવિયાએ કહ્યું હતું કે, 'અમારો ઉદ્દેશ દરેક નાગરિકને વેક્સિન આપવાનો છે. ભારત સરકારે બાળકો માટે કોવિડ -19 વેક્સિન વિકસાવવા માટે સંશોધન કરવા માટે ઝાયડસ કેડિલા અને ભારત બાયોટેકને પહેલાથી જ મંજૂરી આપી દીધી છે. અમે અપેક્ષા રાખીએ છીએ કે તેમના સંશોધનનાં પરિણામો આવતા મહિને આવશે. મને ખાતરી છે કે બાળકો માટે આ વેક્સિન ટૂંક સમયમાં જ ઉપલબ્ધ થશે. AIIMSના ડિરેક્ટર ડો.રણદીપ ગુલેરિયાએ પણ કહ્યું છે કે, ભારત બાયોટેકની CO-Vaccine 2 થી 18 વર્ષના જૂથના બીજા અને ત્રીજા તબક્કાની સ્ટડીના પરિણામ સપ્ટેમ્બર સુધીમાં આવી શકે છે.
Zycov-Dના આપવામાં આવશે ત્રણ ડોઝ
અગાઉ સૂત્રોએ દાવો કર્યો હતો કે ઝાયડસ કેડિલાની Zycov-D વેક્સિન મંજૂરી મળી શકે છે. આ વેક્સિનનું પુખ્ત વયના લોકો તેમજ 12 થી 18 વર્ષના કિશોરો પર પરીક્ષણ કરવામાં આવ્યું છે. એક રિપોર્ટ અનુસાર, DNA-plasmid આધારિત 'Zycov-D' વેક્સિનના ત્રણ ડોઝ આપવામાં આવશે. તેને 2થી 4 ડિગ્રી સેલ્સિયસના તાપમાને રાખી શકાય છે અને તેને કોલ્ડ ચેઇનની જરૂર રહેશે પણ પડશે નહીં . Zycov-D સરળતાથી દેશના કોઈપણ ભાગમાં પહોંચાડી શકાશે. બાયોટેકનોલોજી વિભાગ હેઠળના ઉપક્રમ બાયોટેકનોલોજી ઇન્ડસ્ટ્રી રિસર્ચ આસિસ્ટન્સ કાઉન્સિલ (BIRAC) હેઠળ નેશનલ બાયોફાર્મા મિશન (NBM) દ્વારા વેક્સિનને સપોર્ટ આપવામાં આવ્યો છે.