JNUમાં થયેલી હિંસાના મામલે અમદાવાદના IIM રોડ પર વિદ્યાર્થીઓએ વિરોધ કર્યો હતો. જેમાં વિદ્યાર્થીઓ પર થયેલા હુમલાને લઈ વિરોધ કરવામાં આવ્યો હતો. પોસ્ટર અને બેનરો સાથે વિરોધ નોંધાવ્યો હતો. ન્યાય થાય તેવી માંગ સાથે વિદ્યાર્થીઓએ વિરોધ કર્યો હતો. યુનિવર્સિટી પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે. ત્યારે આ દરમિયાન હોબાળો મચ્યો હતો.
JNUમાં થયેલી હિંસાનો મામલો
IIM રોડપર વિદ્યાર્થીઓનો વિરોધ
NSUI-ABVP આમને સામને, પોલીસે કરી અટકાયત
JNUમાં થયેલ હિંસાના પડઘા અમદાવાદમાં પડ્યા છે. અમદાવાદના IIM રોડ પર NSUI, ABVP અને IIMના વિદ્યાર્થીઓએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. ત્યારે આ વિરોધ માટે NSUIએ પરમિશન નહોતી માંગી. જોકે IIMના વિદ્યાર્થીઓએ પરમિશન માંગી હતી. પરમિશન વગર NSUI વિરોધ પ્રદર્શન કરવા આવતા સમગ્ર મામલાને રાજકીય રંગ લાગી રહ્યો છે. તેઓ IIM બહાર વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ દરમિયાન પોલીસ અને વિદ્યાર્થીઓ વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું. જેને લઇને પોલીસે વિદ્યાર્થીઓની અટકાયત કરી હતી.
મહત્વનું છે કે, JNUમાં હિંસા થઈ હતી. JNUમાં ગઈકાલે રાત્રે નકાબધારી શખ્સો ડંડા લઈને યુનિવર્સિટીમાં ઘુસ્યા અને વિદ્યાર્થીઓને માર માર્યો હતો. જેમાં અનેક વિદ્યાર્થીઓ ઘાયલ થયા હતા. જેમને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.