અખિલ ભારતીય વિદ્યાર્થી સંગઠન (AISA) એ જવાહરલાલ નેહરૂ વિશ્વવિદ્યાલય (JNU) તંત્ર પર વિદ્યાર્થીઓની 'આવવા-જવાની સ્વતંત્રતા' ને મર્યાદિત કરવાનો આરોપ લગાવ્યો છે. આઇસા અનુસાર, સ્કૂલ ઓફ ઇન્ટરનેશનલ સ્ટડીઝના ગેટ સાંજે 6.00 વાગે બંધ કરવાના નિર્ણય લઇને તે વિદ્યાર્થીઓની આઝાદીને છીનવાની કોશિશ કરી રહ્યું છે.
AISAનો JNU તંત્ર પર વિદ્યાર્થીઓની આવવા-જવાની સ્વતંત્રતા મર્યાદિત કરવાનો આરોપ
અશ્વિની મહાપાત્રાએ કહ્યું કે, ચાર દરવાજા હોવાને કારણે વિદ્યાર્થીઓના પ્રવેશ પર વોચ રાખવી મુશ્કેલ
જોકે, તંત્રે કહ્યું કે આ પગલુ વિદ્યાર્થીઓની સુરક્ષાને સુનિશ્ચિત કરવા અને બહારના લોકોના સંસ્થામાં પ્રવેશને રોકવાના ઉદ્દેશ્યથી લેવામાં આવ્યો છે. નોંધનીય છે કે, આઇસા વામ પાર્ટીઓનો જ એક ભાગ છે અને તેની તરફથી મંગળવારે (22 ઓક્ટોબર) આ આરોપ સામે આવ્યો છે.
આઇસાએ દાવો કર્યો કે જેએનયૂ તંત્રે મંગળવારે સવારે સ્કૂલ ઓફ ઇન્ટરનેશનલ સ્ટડીઝના વિદ્યાર્થીઓને નોટિસ મોકલીને ગેટ બંધ થવાના સમયની જાણકારી આપી છે. નોટિસ અનુસાર, એસઆઇએસ-1નો મુખ્ય દરવાજો સાંજે 6 વાગે બંધ કરી દેવામાં આવશે. વિદ્યાર્થી સંગઠને કહ્યું કે, ઘણા વિદ્યાર્થીઓ દ્વારા વાંચવા માટે ઉપયોગ કરવામાં આવતા કોમન રૂમને સાંજે 5:30 વાગ્યે બંધ કરી દેવામાં આવશે.
આઇસાએ ડીયૂના વાઇસ ચાન્સેલર પર આરોપ લગાવતા કહ્યું, તે અમને વાંચવા માટે યોગ્ય સુવિધા ઉપલબ્ધ કરાવવામાં અસફળ રહ્યા છે. અને વિદ્યાર્થીઓ અભ્યાસ માટે જે સ્થાનોનો ઉપયોગ કરી રહ્યા છે, ત્યાં સુધી પહોંચવાને પણ હવે મુશ્કેલ બનાવાઇ રહ્યું છે. જ્યારે એસઆઇએસના ડીન, પ્રોફેસર અને અશ્વિની મહાપાત્રાએ કહ્યું કે, ઇમારતમાં પ્રવેશ માટે ચાર દરવાજા હોવાને કારણે વિદ્યાર્થીઓના પ્રવેશ પર વોચ રાખવી મુશ્કેલ છે.