JNU હિંસામાં ઈજાગ્રસ્ત થયેલી આઈશી ઘોષે જણાવ્યું કે જે લોકો હુમલો કરી રહ્યા હતા તેઓ શોધી શોધીને મારી રહ્યા હતા. આ આખી ઘટનામાં JNUના તંત્ર, પોલીસ અને એબીવીપીની ભાગીદારી જોવા મળી રહી છે.
JNU હિંસા વિવાદ ચરમસીમાએ
JNU હિંસામાં RSSનો હાથ
ફોન કર્યા બાદ પણ પોલીસની ઠંડી અને મોડી કામગીરી
દિલ્હીની JNUમાં થયેલી હિંસામાં હવે RSS પર અનેક આરોપ લગાવવામાં આવી રહ્યા છે. JNU વિદ્યાર્થી સંઘની આઈશી ઘોષે કહ્યું કે આરએસએસની સાથે જોડાયેલા પ્રોફેસર્સ હિંસા ભડકાવવામાં સામેલ હતા. વિશ્વવિદ્યાલય કેમ્પસમાં થયેલી મારપીટની ઘટનામાં આઈશી ઘોષ પણ ગંભીર રીતે ઘાયલ થઈ હતી. તેને દિલ્હીની એમ્સ હોસ્પિટલમાં 16 ટાંકા લેવાયા હતા. આઈશી ઘોષે કહ્યું કે આ ઘટનાને યોજના બાદ અંજામ આપવામાં આવ્યો છે.
આઈશી ઘોષે આપી આવી પ્રતિક્રિયા
આઈશી ઘોષે કહ્યું કે તે લોકો શોધી શોધીને હુમલો કરી રહ્યા હતા. આ કેસમાં જેએનયૂ તંત્ર, પોલીસ અને એબીવીપીની મિલિભગત સામે આવી છે. આ લોકોએ હિંસા રોકવા માટે કંઈ કર્યું નહીં. છેલ્લા 5-6 દિવસથી RSS સમર્થક પ્રોફેસર્સ અમારા આંદોલનને રોકવા માટે હિંસાને વધારી રહ્યા હતા. શું જેએનયુ તંત્ર કે પોલીસને પોતાની સુરક્ષા માનવું ખોટું છે? વિદ્યાર્થી સંઘના ઉપાધ્યક્ષે પણ પોલીસની કાર્યવાહી પર પ્રશ્નો ઉઠાવ્યા છે. તેમણે કહ્યું કે હુમલા સમયે ફોન કર્યાના 2 કલાક બાદ પોલીસ આવી હતી.
આઈશી ઘોષે કહ્યું કે હુમલાખોરો RSS સંગઠનનો ભાગ
આઈશી ઘોષે કહ્યું કે હુમલામાં રવિવારે અનેક લોકો ઘાયલ થયા છે. આ દરેક એબીવીપી સમર્થક હતા જે આરએસએસનું એક સંગઠન છે. તેણે કહ્યું કે પોલીસ વરિષ્ઠ અધિકારીઓને મેસેજ કર્યો કે વિશ્વવિદ્યાલયના પ્રોફેસર શુક્લા સાવંતે કહ્યું કે ઉપ કુલપતિ કે પ્રશાસનની તરફથી કંઈ કહેવાયું નથી. તેઓ અહીં આવ્યા પણ નથી. આ લોકોની તરફથી એક મેસેજ પણ મોકલવામાં આવ્યો નથી.
વિદ્યાર્થીનીએ લગાવ્યો પોલીસ પર આરોપ
પોલીસ પર લાગેલા ગંભીર આરોપનો જવાબ આપતાં ડીસીપી દેવેન્દ્ર આર્યાએ કહ્યું કે 4.57 મિનિટ પર પીસીઆર પર પહેલો ફોન કરવામાં આવ્યો હતો. આ ફોન પેરિયાર હોસ્ટેલથી કરાયો હતો. ફોન કરનારે કહ્યું હતું કે લેફ્ટ પાર્ટી દ્વારા પથ્થરમારો કરવામાં આવી રહ્યો છે. પીસીઆર પર અન્ય ફોન 7.12 મિનિટે આવ્યો હતો. પછી જેએનયુ તંત્રને 7.40 મિનિટે ફોન કરાયો હતો. મળતી માહિતી અનુસાર તેમાં પોલીસને અપીલ કરવામાં આવી હતી કે તેઓ કેમ્પસની અંદર આવે.
Jawaharlal Nehru University Student Union (JNUSU) President Aishe Ghosh: Every iron rod used against the students will be given back by debate and discussion. JNU's culture will not be eroded anytime soon. JNU will uphold its democratic culture. pic.twitter.com/Jtqa4UhaNo
JNUSU અધ્યક્ષ 19 વર્ષની આઈશી ઘોષ પર 5 જાન્યુઆરીએ FIR કરવામાં આવી છે. તેની પર સુરક્ષા ગાર્ડ પર હુમલો કરવાનો અને સર્વર રૂમમાં તોડફોડ કરવાનો આરોપ છે. આ કેસ જેએનયૂ તંત્રની ફરિયાદના આધારે નોંધવામાં આવ્યો છે.