સરકાર દ્વારા ઓઇલ માર્કેટિંગ કંપનીઓને કાશ્મીર ખીણમાં એલપીજી સિલિન્ડરનો બે મહિનાનો પુરવઠો સ્ટોક રાખવા સરકારે આદેશ આપ્યાની અટકળો લગાવાઈ રહી છે. એક્યુઅલ લાઈન ઓફ કંટ્રોલ (એલએસી) પરના ડેડલોકને ધ્યાનમાં રાખીને આ હુકમ અંગે અટકળો થઈ રહી છે. બીજી તરફ, નેશનલ કોન્ફરન્સના નેતા ઓમર અબ્દુલ્લાને આવા પગલાની જરૂરિયાત પર સવાલ ઉઠાવ્યા છે અને કહ્યું છે કે આવા આદેશોથી ભયનો માહોલ સર્જાય છે.
આવા આદેશો કાશ્મીરમાં ભય પેદા કરે છેઃ ઓમર
એલપીજી સિલિન્ડરનો બે મહિનાનો પુરવઠો સ્ટોક રાખવા સરકારે આદેશ આપ્યા
સરકારે કેમ સ્કુલો ખાલી કરાવવાના આદેશ આપ્યા
ત્યારે જમ્મુ-કાશ્મીર વહીવટીતંત્રે રવિવારે એલપીજી સિલિન્ડરના લગભગ બે મહિનાના સપ્લાયનો સ્ટોક રાખવા સરકારના આદેશ અંગે અટકળો પર વિરામ મુક્યો છે. તેમણે સ્પષ્ટતા કરી છે કે ચોમાસા દરમિયાન ભારે વરસાદને કારણે હાઈવે પર વારંવાર અવરોધ થવાના કારણે સિલિન્ડરોના સંગ્રહ માટે આ આદેશ આપવામાં આવ્યો છે.
સત્તાવાર પ્રવક્તાએ કહ્યું, "આપણે બધા જાણીએ છીએ કે વરસાદના દિવસોમાં નેશનલ હાઇવે -44 રામબન-જવાહર ટનલની વચ્ચે પ્રભાવિત થાય છે. હાલમાં અમે કાશ્મીરમાં લગભગ એક મહિનાનો સ્ટોક રાખીયે છીએ." "અમે એલપીજી કંપનીઓને વિનંતી કરી છે કે લગભગ બે મહિના સ્ટોક રાખવાની સંભાવના પર વિચાર કરવો જેથી આગામી ત્રણ મહિના સુધી વરસાદ અથવા અન્ય કારણોસર હાઇવે બંધ થવાની ઘટનામાં લોકોમાં અફરાતફરી ન સર્જાય." તેમણે કહ્યું કે ઘણા લોકો આ હુકમ અંગે અફવાઓ ફેલાવી રહ્યા છે.
Government orders are creating panic in Kashmir & unfortunately after all the lies & false assurances last year even if/when the government explains these orders hardly any of us will take the assurances at face value. That said they still need to explain these orders. https://t.co/16mteocYAO
કાશ્મીરમાં ખાદ્ય, નાગરિક પુરવઠા અને ગ્રાહક બાબતોના ડિરેક્ટર દ્વારા અપાયેલા 27 જૂનના આદેશ અનુસાર જમ્મુ-કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર જી.સી.મુર્મુએ 23 જૂને મળેલી બેઠકમાં આ માર્ગદર્શિકા પસાર કરી હતી કે "ભૂસ્ખલન"ની ઘટનાને કારણે રાષ્ટ્રીય ધોરીમાર્ગ બંધ હોવાને કારણે એલપીજીનો પૂરતો સ્ટોક સુનિશ્ચિત થવો જોઇએ.
જમ્મુ-કાશ્મીરના ભૂતપૂર્વ મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ સેન્ટ્રલ સેનાના રહેવાની જોગવાઈ માટે ગાંદરબલ ડિસ્ટ્રિક્ટ પોલીસની વધુ એક રજૂઆતને ટાંકીને કહ્યું કે આવા આદેશો કાશ્મીરમાં ભય પેદા કરે છે અને અમે સરકાર પાસે સ્પષ્ટતા માંગીએ છીએ. .
ગાંદરબલના વરિષ્ઠ પોલીસ અધિક્ષકએ તેમના વિજ્ઞાપ્તિમાં જિલ્લા વહીવટીતંત્રને વિનંતી કરી છે કે મધ્ય કાશ્મીર જિલ્લામાં આઈટીઆઈ ઇમારતો, મધ્યમ અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ સહિત 16 શૈક્ષણિક સંસ્થાઓ ઉપલબ્ધ કરાવવાનો આગ્રહ કરવામાં આવ્યો છે. એસએસપીએ કહ્યું કે સેન્ટ્રલ સશસ્ત્ર પોલીસ દળ (સીએપીએફ) ને રહેવા માટે આ ઇમારતોની જરૂર છે.
નેશનલ કોન્ફરન્સ ના નેતા તનવીર સાદિકે સરકાર પાસેથી સ્પષ્ટતા માંગતાં કહ્યું કે કાશ્મીરના લોકો વધુ એક વર્ષ "ભય અને બેચેની" માં ગાળી શકશે નહીં.