અમદાવાદમાં આવેલો જીવરાજ બ્રીજ 26 ઓગસ્ટ સુધી તંત્ર દ્વારા બંધ કરવામાં આવ્યો છે. મેટ્રોની કામગીરીને કારણે આ બ્રીજને 2 મહિનામાં ત્રીજી વખત બંધ કરવામાં આવ્યો છે
જીવરાજ બ્રીજ 5 દિવસમાં માટે બંધ કરાયો
મેટ્રોની કામગીરીને કારણે બ્રીજ બંધ કરાયો
અગાઉ પણ બ્રીજ 2 વખત બંધ થયો હતો
મેગાસીટી અમદાવાદમાં મેટ્રોની કામગીરી પુર જોશમાં ચાલી રહી છે. ટૂંક સમયમાં સરકાર દ્વારા મેટ્રો સેવા શરૂ કરી દેવામાં આવશે. જોકે મેટ્રોની કામગીરીને કારણે અમુક રસ્તાઓને અમદાવાદમાં બંધ કરવામાં આવી રહ્યા છે. જેમા અમદાવાદના જીવરાજ પાર્ક વિસ્તારમાં આવેલ જીવરાજ બ્રિજ પણ બંધ કરવામાં આવ્યો છે.
પૂર્વ વિસ્તારના લોકો હેરાન
જીવરાજ બ્રિજ બંધ કરવાને કારણે અમદાવાદ પૂર્વથી આવતા લોકોને ભારે હાલાંકીનો સામનો કરવો પડી રહ્યો છે. કારણકે જીવરાજ બ્રીજનો રસ્તો પૂર્વ તરફથી આવતા લોકોને ડાયરેક્ટ શીવરંજની ચાર રસ્તા સુધી પહોચાડે છે.
મેટ્રોની કામગીરીને કારણે બ્રીજ બંધ
જોકે હાલ બ્રીજ બંધ કરી દેવામાં આવ્યો છે, જેથી પૂર્વ વિસ્તારમાંથી આવતા લોકોને ફરી ફરીને લાંબો રૂટ પસંદ કરવો પડી રહ્યો છે. મેટ્રોની કામગીરી ચાલતી હોવાથી બ્રિજને બંધ કરવામાં આવ્યો છે. જોકે આ સિવાય બ્રિજના દક્ષિણ છેડાનો સર્વિસ રોડ પણ મેટ્રોની કામગીરીને કારણે બંધ કરી દેવામાં આવ્યો છે.
ત્રીજી વખત બ્રીજ બંધ કરાયો
ઉલ્લેખનીય છે કે 26 ઓગસ્ટે આ બ્રીજ ફરી ખોલી દેવામાં આવશે. સવારના 10 વાગ્યે 26 તારીખના રોજ આ બ્રીજ ઓપન કરવામાં આવશે. જોકે મહત્વની વાત એ છે કે અગાઉ પણ મેટ્રોની કામગીરીને કારણે આ બ્રીજ બંધ કરવામાં આવ્યો હતો. ત્યારે વધુમાં ફરી ત્રીજી વખત આ બ્રીજ મેટ્રોની કામગીરીને કારણે બંધ કરવામાં આવ્યો છે.