2 દિવસમાં શિક્ષકોની બદલી મુદ્દે પરિપત્ર કરવાની વાઘાણીએ કરી જાહેરાત, ફેબ્રુઆરી મહિનામાં સરકારે શિક્ષકોની પરસ્પર બદલીનો લીધો હતો નિર્ણય
વિધાનસભા ગૃહમાં શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીની મોટી જાહેરાત
શિક્ષકોની બદલીઓનો પરિપત્ર બે દિવસમાં કરવામાં આવશે: મંત્રી જીતુ વાઘાણી
શિક્ષકોની બદલીની જિલ્લા ફેર બદલીને લઈ નિર્ણયતો ફેબ્રુઆરી મહિનામાં જ લઈ લેવામાં આવ્યો છે. પણ હજુ સુધી આધિકારિક જાહેરાત એટલે કે પરિપત્ર કરાયો નથી ત્યારે વિધાનસભા ગૃહમાં શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ મોટી જાહેરાત કરતાં કહ્યું છે કે શિક્ષકોની બદલીઓના નિયમને લગતો પરિપત્ર આગામી 2 દિવસમાં જાહેર થશે. મહત્વનું છે કે પરસ્પર બદલીઓ મુદ્દે છેલ્લા ઘણા સમયથી સરકારે જાહેરાત કરી છે પણ હજુ તેણે લાગુ કરવામાં આવી નથી પણ શિક્ષણ મંત્રીના આ નિવેદન બાદ હવે 2 દિવસમાં શિક્ષણ વિભાગ દ્વારા પરિપત્ર કરી દેવામાં આવશે જેથી 2 લાખ જેટલા શિક્ષકો તેમની બદલી સરળતાથી કરાવી શકશે.જેનો ફાયદો 10 લાખ પરિવારોને ફાયદો થશે.હવે 100 ટકા શિક્ષકો વતનમાં પરિવાર સાથે જઇ શકશે.
શિક્ષકોના બદલીના નિયમો મામલે શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ 17 ફેબ્રુઆરીના રોજ પ્રેસ કોન્ફન્સ કરી કહ્યું હતું કે 10 વર્ષ પહેલા વિદ્યાસહયક અને પ્રા.શિક્ષકની બદલીના નિયમો બનેલા સમયની માંગ સાથે શિક્ષકોની માંગના અનુસંધાને રાજ્ય સરકારે મુખ્યમંત્રી સાથે ચર્ચા કર્યા બાદ શિક્ષણ વિભાગ દ્વારા પરસ્પર બદલી નિર્ણય કરાયો છે.
શિક્ષકોની બદલીને લઇ નવા નિયમ બનાવ્યા
નવા નિયમ પ્રમાણે ખાલી 100 ટકા જગ્યા પર જિલ્લા ફેર બદલી થઇ શકશે
વતન શબ્દ દૂર કરવામાં આવે છે
10 વર્ષ એક જ જગ્યાએ નોકરી કરવાની શરતે નિમણૂંક અપાયેલ છે તેવા શિક્ષકોને 5 વર્ષ પછી બદલી માટે અરજી કરી શકશે
10 વર્ષના બોન્ડ કેસમાં સમય મર્યાદા 5 વર્ષ કરાઇ
વધ બદલીથી અન્ય શાળામાં ગયેલા શિક્ષકો મૂળ શાળામાં જગ્યા ખાલી પડે તો માગણી કરી શકશે
ગ્રાન્ટેડ શાળાઓમાં પણ પતિ-પત્નીનો લાભ અપાશે
બદલી બાબતે ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ સમિતિ બનાવમાં આવશે
શિક્ષકોની બદલી થતાં સરળતાથી છૂટા થઈ શકશે
સર્વ સંમતિવિદ્યાર્થી અને શિક્ષકનું હિત અને એડમિસ્ટ્રેટનું પણ હિત જળવાઇ તે માટે નિર્ણય લીધો હતો.અત્યાર સુધીમાં જે શિક્ષકોની બદલી થઇ 10 મહેકમ, છુટા કરવાના કારણે શૂન્ય શિક્ષક થઇ જતી હોય તેવા શિક્ષકોને છેલ્લે છુટા કરવા, પહેલાને છૂટા કરવાના પરંતુ નવા શિક્ષક આવ્યા બાદ છૂટા કરવા, 3થી 4 હજાર શિક્ષકોના ઓર્ડર થઇ ચૂક્યા છે, પરંતુ તેઓ છુટા થયા ન હતા, હવે છુટા થઇ જશે.
100 ટકા જગ્યા પર જિલ્લા બદલીનો લાભ અપાશે
પ્રા.શિક્ષકોની બદલીના નિયમો 2012માં બનેલા હતા. શિક્ષકોના વિશાળ હિતને ધ્યાને રાખીને નવા નિયમો રાખ્યા, 40 ટકા શિક્ષકોને જિલ્લા બદલીનો લાભ હતો, 100 ટકા જગ્યા પર જિલ્લા બદલીનો લાભ આપવામાં આવશે, જિલ્લા ફેર અસરપરસ અને સંબંધિત શિક્ષકોના વતન હોવા જરૂરી હતા. તે હવે જોગવાઈ દૂર કરાઇ, વતન શબ્દ દૂર કર્યો. 10 વર્ષ શરત સાથે મૂકેલા તેવા શિક્ષકોને 5 વર્ષ પછી જિલ્લાફેરની બદલીની અરજી કરી શકશે