રાજ્યમાં શાળાઓને લઇ મોટા સમાચાર સામે આવ્યા છે. ગુજરાત રાજ્યમાં સોમવારથી શાળામાં ઓફલાઇન વર્ગો શરુ થશે એવી જાહેરાત શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ કરી દીધી છે.
રાજ્યમાં શાળાઓને લઇ મોટા સમાચાર
સોમવારથી શાળામાં શરુ થશે ઓફલાઇન વર્ગો
શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ કરી જાહેરાત
રાજ્યમાં શાળાઓને લઇ મોટા સમાચાર સામે આવ્યા છે. ગુજરાત રાજ્યમાં સોમવારથી શાળામાં ઓફલાઇન વર્ગો શરુ થશે એવી જાહેરાત શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ કરી દીધી છે.
CMશ્રી @Bhupendrapbjpજી સાથે પરામર્શ અને કોર ગ્રુપમા ચર્ચા કર્યા બાદ કોરોનાના કેસો રાજ્યમાં ઓછા થતા વિદ્યાર્થીના અભ્યાસમા મુશ્કેલી ન થાય તે હેતુથી સોમવાર તા. ૭/૨/૨૨થી જૂની SOP (કોરોનાની ગાઈડલાઇન) પ્રમાણે ધોરણ ૧ થી ૯નુ ઓનલાઇન-ઓફલાઇન શિક્ષણકાર્ય વાલીઓની સંમતિ સાથે શરૂ કરવામાં આવશે.
હવે ગુજરાતનાં બાળકોને ફરી દફતર પાટી લઈને તૈયાર થઇ જવાની જાહેરાત શિક્ષણમંત્રી અને ગુજરાત સરકારના પ્રવક્તા જીતુ વાઘાણીએ પોતે કરી છે.
તેમણે જણાવ્યું હતું કે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પરામર્શ અને કોર ગ્રુપમા ચર્ચા કર્યા બાદ કોરોનાના કેસો રાજ્યમાં ઓછા થતા વિદ્યાર્થીના અભ્યાસમા મુશ્કેલી ન થાય તે હેતુથી સોમવાર તા. ૭/૨/૨૨થી જૂની SOP (કોરોનાની ગાઈડલાઇન) પ્રમાણે ધોરણ ૧ થી ૯નુ ઓનલાઇન-ઓફલાઇન શિક્ષણકાર્ય વાલીઓની સંમતિ સાથે શરૂ કરવામાં આવશે.