અરબપતિ બિઝનેસમેન મુકેશ અંબાણીની ટેલિકોમ કંપની રિલાયન્સ જીઓએ આરોપ લગાવ્યો છે તે તેમની પ્રતિસ્પર્ધી કંપની એરટેલ અને વોડાફોન આઇડીયા ખેડીત પ્રદર્શનકારીઓને તેમના ટાવર્સને નુકસાન પહોંચાડવા માટે ઉશ્કેરી રહી છે. આ આરોપોને નકારતા એરટેલ અને વોડાફોન આઇડીયાએ રિલાયન્સ જીઓના આરોપોને ખોટા કહ્યાં છે.
જીઓએ લગાવ્યા વોડાફોન અને એરટેલ પર ગંભીર આરોપ
એરટેલે સહિત કંપનીઓએ આપ્યો જવાબ
ખેડૂત આંદોલનનો સહારો લઇને કર્યુ કામ
ભારતી એરટેલ દુરસંચાર નિગમે જણાવ્યું કે, જીઓએ પોતાના આરોપો સાથે કોઇ પુરાવા આપ્યા નથી. કંપનીએ કહ્યું કે, જીઓ આ બાબતનો કોઇ પુરાવો નથી આપી શકી કે તે ટાવર્સને નુકસાન પહોંચાડવા માટે અમે લોકોને ઉશ્કેરી રહ્યાં છીએ. હરિયાણામાં રિલાયન્સ જીઓની સેવાને ખંડિત કરવા માટે જીઓના ટાવરને 28 ડિસેમ્બરે ફરિયાદ કરવામાં આવી હતી.
આરોપ ખોટા
એરટેલે કહ્યું કે, પોતાના પર લાગેલા તમામ આરોપો ખોટા છે અને એરટેલના સીઆરઓ રાહુલ વત્સે કહ્યું કે 28 ડિસેમ્બરે લખેલા પત્રમાં કહેવામાં આવ્યું છે કે, મોબાઇલ ટાવર્સ સાથે તોડફોડ કરીને ગ્રાહકોએ એરટેલમાં સ્વિચ કરવા પર મજબૂર કરવા માટે કંપની ખેડીત આંદોલન પાછળ ઉભી છે, આ આરોપ સાવ ખોટો છે.
એરટેલ છે ચકિત
એરટેલે કહ્યું કે, જીઓ પાસે કોઇ જ પુરાવા નથી કે આ ઘટનામાં એરટેલનો હાથ છે. એરટેલે કહ્યું કે ખરેખર તો અમે ચકિત છીએ કારણકે જીઓ એવુ વિચારી જ કેવી રીતે શકે કે તેમા ગ્રાહકોને અમારી સાથે જોડી લઇએ એટલી અમારામાં તાકાત છે. જો અમારી પાસે આટલી તાકાત હોત તો અમે છેલ્લા 3 વર્ષમાં તેનો પ્રયોગ કર્યો જ હોત. જીઓ પાસે અમારા લાખો ગ્રાહક છે.
વોડાફોન આઇડિયાએ કરી નિંદા
વોડાફોન આઇડિયા લિમિટેડના પ્રવક્તાએ કહ્યું કે, કંપની જીઓએ લખેલ પત્રમાં જે આરોપો લગાવ્યા છે તે ખોટા છે અને કંપની આ આરોપોને રદ્દ કરે છે. આ પ્રકારની કોઇ પણ ગતિવિધિઓમાં કંપની સામેલ નથી. આ આરોપોની અમે નિંદા કરીએ છીએ અને તમામ આરોપોને પાયાવગરના માનીએ છીએ.