સુરતના કલામંદિર જ્વેલર્સ અને આઈટી અધિકારીઓ સામે કરચોરી અને ભ્રષ્ટાચારનો આક્ષેપ કરનાર પૂર્વ આઈટી અધિકારી અને ભાજપના અગ્રણી પીવીએસ શર્મા મામલો PMO સુધી પહોંચી ગયો છે. સૂત્રોના જણાવ્યાં અનુસાર PMOએ આ સમગ્ર કેસની વિગતો મંગાવી છે. જેને લઇને રાજ્યના નેતાઓમાં ગભરાટ જોવા મળ્યો હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે.
ભાજપ નેતા PVS શર્માના ટ્વીટનો મામલો
PMOએ સમગ્ર કેસની વિગતો મંગાવીઃ સૂત્ર
PVS શર્માએ PMOને ટ્વીટ કરી તપાસની કરી હતી માગ
ઉલ્લેખનીય છે કે દેશમાં જાહેર કરાયેલા નોટબંધીના સમયગાળા દરમિયાન અનેક કૌભાંડ થયા હોવાનું સામે આવ્યું હતું. ત્યારે ગુજરાતના સુરત શહેરમાંથી નોટબંધી સમયનું સૌથી મોટું કૌભાંડનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો. આ અંગેનો ખુલાસો ભાજપના આગેવાન પી. વી. એસ શર્માએ ટ્વવિટર દ્વારા કર્યો હતો છે. આ અંગે પીવી શર્માએ PM મોદી અને નાણામંત્રીને ટેગ કરી આ ટ્વિટ કર્યું હતું.
જો કે આ અંગે હવે સૂત્રોને મળતી જાણકારી મુજબ PMO દ્વારા આ સમગ્ર કેસની વિગતો મંગાવી છે. PMO એ વિગત મંગાવાત નેતાઓમાં ગભરાટ જોવા મળી રહ્યાં હોવાના અહેવાલ મળી રહ્યાં છે. આ કેસમાં કલામંદિર જ્વેલર્સ સાથે ઘરાબો ધરાવતા નેતાઓમાં ફફડાટ જોવા મળ્યો હતો.
જો કે આ કેસમાં આઇટી વિભાગના અધિકારીઓમાં ગભરાટ ફેલાયો છે. જેમાં કેટલાક અધિકારીઓને કારણે નોટબંધીનો નિર્ણય અસરકાર ન રહ્યો હોવાનું સામે આવી રહ્યું છે. જો કે સૂત્રોના જણાવ્યાં મુજબ અધિકારીઓની કામગીરીને લઇને PM મોદીના નારાજ હતા. આ મુદ્દે અન્ય જ્વેલરસ શો રૂમમાં પઇ તપાસ થઇ શકે છે.
જો કે સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ હાલ દિલ્હીની મુલાકાતે પહોંચ્યાં છે, ત્યારે આ મામલે PM વિગતો મેળવી શકે છે. નોટબંધી બાદ અનેક કેસમાં ડિમાન્ડ નોટિસ નીકળી હતી.
શું છે કલામંદિર જ્વેલર્સનો મામલો?
નોટબંધી સમયે સુરતમાં સૌથી મોટું કૌભાંડ થયું હતું
આ કૌભાંડમાં કલામંદિર જ્વેલર્સનું નામ ખુલ્યું છે
ભાજપ આગેવાન પી.વી.એસ શર્માએ ટ્વીટમાં ખુલાસો કર્યો છે
PM અને નાણામંત્રીને ટેગ કરીને શર્માએ ટ્વીટ કર્યું છે