આમ તો શોના દરેક કલાકારોએ દર્શકોના દિલ જીત્યા છે, પરંતુ તેમાં જેઠાલાલનું પાત્ર આજે પણ લોકોના દિલ પર રાજ કરે છે.
જેઠાલાલનું પાત્ર આજે પણ લોકોના દિલ પર રાજ કરે છે.
શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં આવશે નવું ટ્વીસ્ટ
શું સાચે જેઠાલાલ અમેરિકા જશે કે નહીં એ લોકો માટે ચર્ચાનો વિષય બન્યો છે.
ટીવી જગતનાં સુપરહિટ કોમેડી શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ગયા ઘણા વર્ષોથી દર્શકોનું મનોરંજન કરતો આવ્યો છે. શોનું દરેક પાત્ર ખૂબ જ ખાસ છે. આ શોના કારણે તેની સ્ટારકાસ્ટે ઘર ઘરમાં અલગ ઓળખ મેળવી છે. જ્યાં લોકો આ શોમાં દયાબેનની વાપસીની રાહ જોઈ રહ્યા છે. તો બીજી તરફ શોના અન્ય એક મહત્વપૂર્ણ પાત્ર શૈલેષ લોઢાએ શો છોડવાનો નિર્ણય લઈ લીધો હતો. આમ તો શોના દરેક કલાકારોએ દર્શકોના દિલ જીત્યા છે, પરંતુ તેમાં જેઠાલાલનું પાત્ર આજે પણ લોકોના દિલ પર રાજ કરે છે.
જેઠાલાલનું પાત્ર અલગ અલગ સમસ્યા અને પરેશાનીનો સામનો કરે અને તેના જીવનમાં આવતા નવા ટ્વીસ્ટને કારણે લોકોનું ઘણું મનોરંજન થાય છે. હાલ જ ફરી એક વખત શોને વધુ રસપ્રદ બનાવવા માટે મેકર્સે જેઠાલાલના જીવનમાં નવો વળાંક લઈ આવવાનું નક્કી કર્યું છે. આવનારા એપિસોડ્સમાં જોવા મળશે કે કેવી રીતે જેઠાલાલ સવારે તેની દુકાનમાં પહોંચે છે અને કામ શરૂ કરવાની તૈયારી કરે છે. પરંતુ તેઓ નથી જાણતા કે તેમના માટે એક સરપ્રાઈઝ આવી રહી છે.
— Taarak Mehta Ka Ooltah Chashmah (@TMKOC_NTF) August 24, 2022
કહાનીમાં આવશે ટ્વીસ્ટ
નટુ કાકા અને બાઘા એના શેઠજી માટે ખુશ હોય છે પણ કહેતા નથી કે કઈ વાતને લઈને ખુશ છે અને એ વાત જેઠાલાલને પરેશાન કરે છે. એ સમયે એ ત્રણેયની વાતચીત લોકોને મજા કરાવશે એવું લાગી રહ્યું છે. અંતે ખબર પડે શે કે જેઠાલાલ અમેરિકા જઈ રહ્યો છે અને આ ખબર તેને બાધા દ્વારા ખબર પડે છે. યુએસ જવા પાછળનું કારણ શું છે એ હજુ સામે આવ્યું નથી. આવનર એપિસોડમાં એ કારણ પણ જલ્દી બહાર આવશે. શું સાચે જેઠાલાલ અમેરિકા જશે કે નહીં એ લોકો માટે ચર્ચાનો વિષય બન્યો છે.
— Taarak Mehta Ka Ooltah Chashmah (@TMKOC_NTF) August 25, 2022
'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' શો વિશે વાત કરીએ તો આ શો ભારતીય ટીવી જગતનો અત્યાર સુધીનો સૌથી લાંબો શો છે. વર્ષ 2008માં આ શો શરૂ થયો હતો અને આજ સુધી ચાલે છે. આ સિરિયલે અત્યાર સુધીમાં 14 વર્ષ પૂરા કર્યા છે અને હાલ સુધી આ શો તેના દર્શકોનું મનોરંજન કરી રહ્યો છે.
લોકો જશે પણ શો ચાલતો રહેશે
એક મીડિયા ઈન્ટરવ્યુમાં અસિત કુમાર મોદીએ કહ્યું હતું કે, 'ઓડીયન્સે આ શોને આટલો પ્રેમ આપ્યો છે, એ એટલા માટે જ કારણ કે શો નાં કિરદાર લોકોને ફક્ત અમારા આ જ શોમાં જોવા મળે છે. જો આ કલાકરો બીજા કિરદાર પણ નિભાવવા લાગે તો શો ના કિરદારની વેલ્યુ આપમેળે ઓછી થઇ જાય છે. જયારે કોઈ કલાકાર શો છોડવાનો નિર્ણય કરે છે ત્યારે મને ઘણું દુઃખ થાય છે. આ એક પરિવાર છે જેને હું શો માં લઈને આવું છું. હું એમની પરેશાનીઓને સમજીને તેને દુર કરવાની કોશિશ કરું છું. આ શો એક જર્ની છે જે ક્યારેય નહીં અટકે અને આમાં ઘણાં લોકો અટકશે પણ ખરી અને છોડીને પણ જશે.'