જેટ એરવેઝના એક વરિષ્ઠ ટેકનિશિયને મહારાષ્ટ્રના પાલઘરમાં ડિપ્રેસનને લીધે આત્મહત્યા કરી હતી. કર્મચારી કેન્સરથી પીડિત હતો. પોલીસે આ માહિતી શનિવારે આપી હતી. એક અધિકારીએ જણાવ્યું હતું કે, 45 વર્ષના શૈલેશ સિંહ શુક્રવારે નાલાસોપારા પૂર્વમાં તેમની ચાર માળની ઇમારત પરથી છલાંગ લગાવી દીધી હતી.
જેટ એરવેઝમાં તેની સાથે જ કામ કરતા સાથી કર્મચારીઓએ જણાવ્યું કે, શૈલેષને કેન્સર હતું અને સારવાર પાછળ ઘણો ખર્ચો થઈ રહ્યો હતો. તેની છેલ્લા લાંબા સમયથી સળંગ કિમોથેરાપી ચાલી રહી હતી.
તો બીજુ બાજુ જાન્યુઆરી મહિનાથી કંપની તરફથી પગાર ન મળવાના કારણે આર્થિક સ્થિતિ દિવસેને દિવસે ખરાબ થઈ ગઈ હતી. અંતે સારવાર નહીં કરાવી શકતા અને ઘર ખર્ચ પણ ઉઠાવી નહીં શકતા. તેણે અંતિમ પગલું ભરી લીધું હતું.