સામાન્ય રીતે સેવિંગ્સ બેંક એકાઉન્ટમાં ખાતાધારકને દર મહિને ન્યૂનતમ બેલેન્સ ન રાખવાના કારણે પેનલ્ટી ભરવી પડે છે. સેલરી એકાઉન્ટ માટે આ માટે કોઈ નિયમ નથી. પરંતુ સાથે જ કેટલાક એવા એકાઉન્ટ પણ છે જ્યાં ઓછું બેલેન્સ રાખવાની પણ જરૂર હોતી નથી.
પ્રધાનમંત્રી જન ધન ખાતામાં (PMJDY) 5000 રૂપિયા સુધીના ઓવરડ્રાફ્ટની સુવિધા મળે છે. આ સાથે જ આ ખાતામાં અન્ય અનેક પ્રકારના લાભ પણ મળે છે.
જનધન ખાતામાં મળે છે આ સુવિધાઓ
આ પ્રકારના ખાતામાં પ્રધાનમંત્રી જન ધન યોજના પણ એક ગણવામાં આવે છે. આ ખાતામાં ઓવરડ્રાફ્ટની સુવિધાની સાથે સાથે ડેબિટ કાર્ડની સુવિધા પણ આપવામાં આવે છે. આ સાથે જ 1 લાખ રૂપિયાના એક્સિડેન્ટ ઈન્શ્યોરન્સ ફ્રીમાં આપવામાં આવે છે.
શું છે ઓવરડ્રાફ્ટ સુવિધાની શરત
ઓવરડ્રાફ્ટ સુવિધાની યોગ્યતા માટે પ્રધાનમંત્રી જન ધન ખાતા ધારકોને પહેલા મહિનાને માટે પૂરતું બેલેન્સ રાખવું જરૂરી હોય છે. આ સાથે જે પોતાના રૂપે ડેબિટ કાર્ડથી રેગ્યુલર ટ્રાન્ઝેક્શન કરવાનું પણ જરૂરી હોય છે.
મળશે 5000 રૂપિયાના ઓવરડ્રાફ્ટની પણ સુવિધા
આ પછી જે બેંકમાં ખાતું ખોલવામાં આવ્યું છે તે જો યોગ્ય સમજે તો ખાતાધારકને 5000 રૂપિયાનો ઓવરડ્રાફ્ટની સુવિધા આપે છે. તેના માટે એક શરત એ પણ છે કે પ્રધાનમંત્રી જન ધન ખાતું આધારકાર્ડ સાથે લિંક હોય. તમે ઓવરડ્રાફ્ટની સુવિધાનો લાભ એક સામાન્ય વ્યાજ ચૂકવ્યા બાદ લઈ શકો છો.
જન ધન ખાતામાં સરકારી સબ્સિડીનો પણ મળશે ફાયદો
જો ખાતાધારક જૂના બેંક બેલેસને યોગ્ય સમયે ક્લિયર કરે છે તો તેને માટે તેમને વધારે લોનની સુવિધા મળતી રહે છે. ઉલ્લેખનીય છે કે આધાર લિંક્ડ જન ધન ખાતાધારકને સરકારી સબ્સિડી સ્કીમના આધારે ડાયરેક્ટ લાભ મળી શકે છે. જેના આધારે કોઈ પણ સરકારી સબ્સિડીના રૂપિયા તેમના ખાતામાં પહોંચશે.
આ ખાતાધારક ગણાશે લાઈફ ઈન્શ્યોરન્સને યોગ્ય
આ સાથે 15 ઓગસ્ટ 2014થી લઈને 26 જાન્યુઆરી 2015ની વચ્ચે જો કોઈએ જન ધન ખાતું ખોલાવ્યું છે તો તેને માટે તેઓએ 30 હજાર રૂપિયાનો લાઈફ ઈન્શ્યોરન્સ કવર મેળવ્યો હશે. આ સુવિધા તેઓને ત્યારે જ મળશે જ્યારે તેઓ તેને યોગ્ય હશે.
જન ધન ખાતાધારકે એક અન્ય વાતનું ધ્યાન રાખવું કે તે પોતાના ખાતા પર ચેકબુકની સુવિધા ઈચ્છે તો લઈ શકે છે. તેના માટે તમારે ખાતામાં મિનિમમ બેલેન્સ રાખવું ફરજિયાત બનશે.