સુરતમાં બનેલા તક્ષશિલા કાંડ જેવો કિસ્સો જામનગરમાં બનતા રહી ગયો. ડૉ. બત્રાના હોમિયોપેથી ક્લિનિકમાં લાગેલી આગે ધીરે ધીરે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. આગ ટ્યુશન ક્લાસ સુધી પહોંચી ગઇ હતી. ચાલુ ક્લાસીસમાં આગ લાગતા અફરા-તફરીનો માહોલ છવાયો હતો.
ડૉ.બત્રાના ક્લિનિકમાં લાગી આગ
પ્રથમ માળે ટ્યુશન ક્લાસ આગની ચપેટમાં
ચાલુ ક્લાસીસમાં આગ લાગતા અફરાતફરી
જામગનરમાં આયુર્વેદ યુનિવર્સિટી સામેની બિલ્ડીંગમાં આગ લાગી હોવાની ઘટના બની હતી. રાધેક્રિષ્ના એવન્યું બિલ્ડિંગમાં આગ લાગી હતી. ડૉ.બત્રાનાં ક્લિનિકમાં કોઇ કારણોસર આગ લાગી હતી. પ્રથમ માળે ચાલતુ ટ્યુશન ક્લાસ પણ આ આગની ચપેટમાં આવી ગયું હતું. ત્યારે તાત્કાલિક ધોરણે વિદ્યાર્થીઓને બિલ્ડિંગની ગેલેરીમાંથી જીવના જોખમે બહાર કાઢ્યા હતા.
વિદ્યાર્થીઓને ગેલેરીથી બહાર કઢાયા
વિદ્યાર્થીઓને અન્ય માર્ગેથી બહાર કાઢવામાં આવ્યાં હતા. લોકોએ સમયસૂચકતા વાપરીને વિદ્યાર્થીઓને બિલ્ડિંગની ગેલેરીમાંથી જીવના જોખમે બહાર કાઢ્યા હતા. સજાગતાના કારણે કોઇ જાનહાનિ થવા પામી ન હતી. ટ્યુશનમાંથી 17 વિદ્યાર્થીઓને બહાર કઢાયા હતા.
ફાયર વિભાગે આગને કાબૂમાં લીધી
હાલ હોસ્પિટલ માર્ગ બંધ કરી દેવામાં આવ્યો હતો. આ ઘટનાની જાણ ફાયર વિભાગને થતા ઘટના સ્થળે પહોંચીને કામગીરી હાથધરી હતી. ઘટનાના પગલે ફાયર ફાયટરો દોડી આવ્યા હતા અને પાણીનો મારો ચલાવીને આગને કાબૂમાં લીધી હતી.
ક્યા કારણે લાગી આગ?
પ્રાથમિક તપાસ દરમિયાન તારણ લગાવવામાં આવ્યું છે કે આ આગ ક્લિનિકમાં શોર્ટ સર્કીટથી લાગી હતી. બીજી તરફ આ ક્લિનિકમાં ફાયર સેફ્ટીના સાધનો ન હોવાનું સામે આવ્યું છે. આ કોમ્પલેક્સમાં કોઇ પણ ફાયર સેફ્ટના સાધનો નથી. જોકે ટ્યુશન ક્લાસીસ પાસે ફાયર સેફ્ટીના સાધનો માટેનું NOC છે.