જામનગરમાં થયેલ કિરીટ જોશીની હત્યાના પ્રકરણમાં એક પછી એક ભેદ ઉકાલાતા જાય છે. જ્યારે પોલીસે વધુ એક ભેદ ઉકેલી કાઢયો છે. પોલીસે અમદાવાદના એક શખ્શની માઉન્ટ આબુથી ધરપકડ કરી છે.
આ હત્યા પ્રકરણમાં અમદાવાદના પુજારા બંધુ અને ગઢવી મુખ્ય સુત્રધાર હોવાનું બહાર આવ્યું છે. જમીન માફિયા જયેશ પટેલે કિરીટ જોશીની હત્યા માટે ત્રણ કરોડની સોપારી આપી હોવાનું ખૂલ્યું છે. જે અંતર્ગત રૂપિયા 20થી 25 લાખની ચૂકવણી પણ કરાઈ હતી.
કિરીટ જોશીની હત્યાનો અંજામ બે સગા ભાઇઓએ આપ્યો હતો. અમદાવાદના જ બે સગાભાઇઓએ કિરીટ જોશીની હત્યા માટે સોપારી લીધી હતી.
આ બંને ભાઇઓ જેલમાં બંધ હતા. કિરીટ જોશીની સોપારી મળતા એક ભાઇએ રાજકોટ જેલમાં ટ્રાન્સફર કરાવી હતી. મળતા અહેવાલો મુજબ કિરીટ જોશીની હત્યાનું કાવતરૂ 8 મહિના પહેલા ઘડાયું હતું.