શિક્ષકને પોલીસ દ્વારા માર મરાતા પોલીસ કર્મચારીઓ પર કાર્યવાહી કરવામાં આવી છે. શિક્ષણ સમિતિના ચેરમેન આકાશ બારડને ચાર પોલીસ કર્મચારી વિરૂદ્ધ મારમારી ધમકી આપ્યાની ફરિયાદ નોંધી હતી. આ આક્ષેપો બાદ આ ચારેય પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
જામનગર શિક્ષણ સમિતિના ચેરમેનને પોલીસ માર મામલો
દરબાર ગઢ ચોકીના ચાર પોલીસ કર્મચારીઓ સસ્પેન્ડ
ચારેય પોલીસકર્મીઓ સામે મારમારી ધમકી આપ્યાની ફરિયાદ
જામનગર શિક્ષણ સમિતિના ચેરમેનને પોલીસે માર મારવાના મામલે ઉગ્ર અસર થઇ છે. શિક્ષણ સમિતિના ચેરમેન આકાશ બારડ ઝઘડો કરતા 2 પક્ષને સમજાવવા ગયાં હતાં. તે સમયે પોલીસે આકાશ બારડને ઉઠાવી જઈને મારમાર્યા હોવાના આક્ષેપ થયાં છે.
આથી પોલીસ સ્ટેશને રાજકીય આગેવાનો અને લોકોના ટોળા એકછા થયા છે. આ ઘટનાની પ્રતિક્રિયા રૂપે દરબારગઢ ચોકીના 4 પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. તેમજ આ 4 પોલીસકર્મીઓ સામે મારમારી ધમકી આપ્યાની ફરિયાદ થઇ છે. જેમાં ASI અજય ચાવડા, ચંદ્રેશ પટેલ, LR મયુરસિંહ અને ધર્મેશ પટેલ સસ્પેન્ડ થયા છે. સમાધાનકારી વલણ અપનાવવાનો પ્રયાસ કરાયો છે.