ભાગ્ય બડા તો રામ જપ વખત બડા કછુ દે, અકલ બડી ઉપકાર કર દેહ ગયા ફળ લેહ... હરિરસની આ પંક્તિઓ કોરોના કાળમાં ખરેખર સાર્થક કરી બતાવી છે જામનગરની કુંવરબાઈ જૈન ધર્મશાળાએ.
જામનગરની કુંવરબાઈ જૈન ધર્મશાળા આવી કોરોનાના દર્દીઓની મદદે
70 થી 80 કોવિડ બેડવાળા સેન્ટરનો કર્યો પ્રારંભ
કોરોનાકાળમાં સમાજ માટે બની પ્રેરણારૂપ
દેશભરમાં કોરોના સંકટ વધી રહી રહ્યું છે અને હોસ્પિટલોમાં કોરોનાના દર્દીઓને લીધે હોસ્પિટલો હાઉસફૂલ થઇ ચૂકી છે. દેશમાં અને ભારતમાં દરરોજ વધી રહેલા કોરોનાના અને કોરોનાથી થતાં મૃત્યુના આંકડા ચિંતા વધારનારા છે ત્યારે જામનગરની કુંવરબાઈ જૈન ધર્મશાળાના ટ્રસ્ટીઓ મદદ માટે આગળ આવ્યા છે.
70 થી 80 કોવિડ બેડવાળા સેન્ટરનો કર્યો પ્રારંભ
કોરોનાના દર્દીઓ માટે 70 થી 80 બેડના કોવિડ કેર સેન્ટરનો પ્રારંભ કરવામાં આવ્યો છે. તો અહીં સારવાર અર્થે આવેલા તમામ દર્દીઓ માટે ભોજનની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. તો તમામ દર્દીઓનો પુરતા પ્રમાણમાં સારવાર મળી રહે તે માટે મેડિકલ ટીમ પણ સેવામાં જોતરાઇ છે.
દર્દીઓની સાથે આવતા લોકો માટે પણ ટ્રસ્ટ દ્વારા કરાઇ અલાયદી વ્યવસ્થા
આ સાથે જ કુંવરબાઈ જૈન ધર્મશાળાના કોવિડની સારવાર લઈ રહેલા દર્દીઓના સગા વહાલાઓને પણ ખોટી મુશ્કેલીનો સામેનો કરવો ન પડે તે માટે સંસ્થા દ્વારા અલાદયી વ્યવસ્થા કરાઇ છે.
સમાજને ચિંદ્યો રાહ
એક તરફ દરરોજ વધી રહેલા કોરોનાના કેસ, બીજી તરફ ઓક્સિજનની અછત, હોસ્પિટલ ફૂલના દ્રશ્યો અને દર્દીને બચાવવા માટે પરિવારજનોનો રઝળપાટ જોઇને ઇશ્વરને કાંઇક મદદ કરવા માટે મન પ્રાર્થના કરે છે, ત્યારે જામનગરની કુંવરબાઈ જૈન ધર્મશાળા અને તેમના જેવી કોવિડના દર્દીઓને સેવા મળી રહે તે માટે યેનકેન પ્રકારે મદદ કરતા લોકો અને સંસ્થાઓ ખરેખર દેવદૂત સમાન છે. આ લોકોનું કાર્ય સમાજને પ્રેરણા આપે છે.