કશ્મીરમાંથી 370 નાબૂત થતા જ અખંડ ભારતનું સ્વપ્નું પુરુ થયું છે. ઈતિહાસના પાનાઓમાં પણ આ ઐતિહાસિક દિવસ કંડારાઇ ગયો છે. આ ઐતિહાસિક પળ સાથે સ્વર્ગ કેવું ખીલ્યું તેનો નજારો લોકો સુધી પહોંચાડવા વીટીવી સ્વર્ગની સફરે પહોંચી ગયું. ત્યારે કેવો છે 370ના પતન સાથે નવા સ્વર્ગનો નજારો. જુઓ અમારા આ ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ સાથે...
ઉલ્લેખનીય છે કે, VTVની ટીમ જમ્મૂ કશ્મીરના ગામડાઓ પહોંચી છે અને ત્યાની સ્થિતિથી આપને સતત વાકેફ કરી રહી છે ત્યારે બોર્ડરથી સૌથી નજીકના ગામમાં અમારી ટીમ પહોંચી હતી. આ ઉપરાંત RSપુરા શહેરની પણ મુલાકાત લીધી હતી.
જ્યાં હાલ તો શાંતિની સ્થિતિ છે. કલમ 370 હટાવાયા બાદ સુરક્ષા જવાનો તૈનાત કરવામાં આવ્યા છે. અસમાન્ય ઘટના ન બને તે માટે સુરક્ષા વ્યવસ્થા સઘન કરવામાં આવી છે. લોકોને ગામમાં અવરજવર માટે છૂટછાટ આપવામાં આવી છે.
કોરોટાણા ગામમાં લોકો બંકરમાં નિવાસસ્થાન બનાવવા મજબૂર
નોંધનીય છે કે, જમ્મુના આર. એસ. નગરના ગામડાઓ નજીક અહીં બોર્ડર પાસે આવેલા કોરોટાણાને ફરતે 3 બાજુ પાકિસ્તાનની સરહદ છે. ગામ લોકો ત્રણે બાજુથી પાકિસ્તાનથી ઘેરાયેલા છે ત્યારે કોરોટાણા ગામમાં લોકો બંકરમાં નિવાસસ્થાન બનાવવા માટે મજબૂર બન્યા છે.
કારણ કે અહી પાકિસ્તાન તરફથી ફાયરિંગના ભયમાં લોકો જીવન વિતાવે છે. ફાયરિંગના ભયે લોકો બંકરમાં જ રહે છે. કોરોટાણા ગામમાં પણ લોકો અધિકારથી વંચિત હતા. ત્યારે 370 હટવાથી લોકોને જમીનના અધિકાર મળવાની આશા છે. આ ઉપરાંત પાકિસ્તાન તરફથી થતું ફાયરિંગ ઓછુ થશે તેવી પણ લોકો આશા વ્યક્ત કરી રહ્યા છે.
લોકોમાં ખુશીનો માહોલ
આપને જણાવી દઇએ કે, અહીંના ગામડાઓમાં પહોંચેલી અમારી ટીમ દ્વારા અહીના સ્થિતિ જાણવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. પાકિસ્તાનની બોર્ડર પાસે આવેલા અહીના ગામોમાં ધારા 370 હટ્યા બાદ પરિસ્થિતિ એક દમ શાંત છે. લોકોમાં ખૂશીનો માહોલ છે.
અહીંના સચેતપુરા ગામ લોકો ખૂશી વ્યક્ત કરી રહ્યા છે. ગ્રામલોકોનું કહેવુ છે કે, કલમ 370ના કારણે તેઓ પોતાના અધિકારોથી વંચિત હતા. તેમને જમીનની માલિકીનો હક મળતો ન હતો. તેઓ 70 વર્ષથી ખેતી કરતા હોવા છતા તેમને માલિકીનો હક મળતો ન હતો. ત્યારે હવે 370 હટતા તેમને પોતાને હક મળવાની આશા છે.
પ્રવાસન ઉદ્યોગ પર અસર
જમ્મૂ કશ્મીરની સ્થિતીને લઇ પ્રવાસન ઉદ્યોગ પર અસર પડી છે. ગુજરાતી લોકો કશ્મીર જવાનું ટાળી રહ્યાં છે. કશ્મીરની સ્થિતિને લઈને ટ્રાવેલ્સ એજન્સીમાં કરાવેલા બુકિંગ લોકો રદ કરાવી રહ્યાં છે. દિવાળી સમયના બુકિંગ પણ શરૂ નથી થયા.
સામાન્ય રીતે ઓગસ્ટ મહિનામાં એડવાન્સ બુકિંગ શરૂ થઇ જાય છે ત્યારે કશ્મીરમાં કોઇ પણ સમયે સ્થિતી બગડવાનો લોકોમાં ડર છે. જેને લઈને લોકો કશ્મીર પ્રવાસને બદલે ઉતરાખંડ, નોર્થ-ઇસ્ટના રાજ્યો પસંદ કરી રહ્યા છે.