જમ્મુ-કશ્મીરમાં અવારનવાર આતંકી હુમલો કરવામાં આવતો હોય છે. ત્યારે આ વખતે આતંકીઓએ માત્ર 24 કલાકમાં 3 લોકો પર એટેક કર્યો છે જેમાં એકનું મોત થયું છે.
જમ્મુ-કાશ્મીરમાં આતંકી હુમલામાં એક સ્થાનિક નાગરિકનું મોત
ફરી વાર બિન-કાશ્મીરી લોકો અને સામાન્ય નાગરિકોને ટાર્ગેટ કરવાનું શરૂ
છેલ્લાં 24 કલાકમાં 3 લોકો પર કરાયો આતંકી હુમલો, જેમાં એકનું મોત
જમ્મુ-કાશ્મીરમાં ફરી એક વાર આતંકવાદીઓએ રાજ્યના બિન-કાશ્મીરી લોકો અને સામાન્ય નાગરિકોને ટાર્ગેટ કરવાનું શરૂ કર્યું છે. છેલ્લાં 24 કલાકમાં 3 લોકો પર આતંકીઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો છે. આ હુમલાઓમાં એક સ્થાનિક નાગરિકનું મોત થયું છે તો બે બિન-કાશ્મીરી કામદારો ઘાયલ થયા છે.
સોમવારે પુલવામા જિલ્લાના ગાંગુ ગામમાં સર્કલ રોડ પર બંદૂકધારી આતંકવાદીએ એક પરપ્રાંતિય કામદારની ગોળી મારીને હત્યા કરી દીધી છે. મજૂરનું નામ બિસુજીત કુમાર છે અને તે બિહારનો રહેવાસી છે. આજે એક કલાકની અંદર આ બીજો હુમલો કરવામાં આવ્યો. પોલીસે જણાવ્યું કે, ઘાયલ મજૂરને પુલવામાની જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલ છે, જ્યાં તેની સારવાર ચાલી રહી છે. ઘટનાસ્થળને સુરક્ષા દળોએ ઘેરી લીધું છે અને સર્ચ ઓપરેશન શરૂ કરી દેવામાં આવ્યું છે.
સ્થાનિક નાગરિકની હત્યા
આતંકવાદીઓએ બડગામ જિલ્લાના ગોટપોરા ખાતે તજમુલ મોહિઉદ્દીન નામના વ્યક્તિને ગોળી મારી હતી. મોહિઉદ્દીન પર તેના ઘર પાસે જ હુમલો કરવામાં આવ્યો હતો. ગોળી વાગ્યા બાદ તેને હોસ્પિટલ લઈ જવામાં આવી રહ્યો હતો, પરંતુ રસ્તામાં જ તેનું મોત નિપજ્યું હતું.
રવિવારે પણ એક પરપ્રાંતિય મજૂર પર કર્યું હતું ફાયરિંગ
આ અગાઉ રવિવારે પણ એક પરપ્રાંતિય મજૂર કે જે સુથારનું કામ કરે છે, તેને પણ આતંકવાદીઓએ ગોળી મારી દીધી હતી. આ ઘટના પુલવામા જિલ્લામાં ઘટી હતી.