આ વર્ષે આંતકવાદીઓની નવી ભરતીમાં 37% ઘટાડો નોંધાયો છે. સૌથી વધુ 74% આંતકી લશ્કરમાં શામેલ થયાં છે. આ વર્ષે કુલ 65 આતંકવાદીઓની એન્ટ્રી થઇ જેમાંથી 58ને સુરક્ષાબળોએ ઢેર કરી નાખ્યાં છે.
J&Kમાં DGP-ADGPએ 2022નો ઓવરવ્યૂ આપ્યો
2022માં આંતકવાદીઓની નવી ભરતીમાં 37% ઘટાડો
2023માં 'મિશન ઝીરો ટેરર' ચલાવશું- DGP
આતંકવાદી એન્કાઉન્ટરમાં કેટલાક મારી નખાયાં, 17 જેટલાની ધરપકડ કરવામાં આવી જ્યારે 18 આતંકવાદીઓ હાલમાં પણ સક્રિય છે. ADGPએ જણાવ્યું કે નવા આતંકવાદીઓનાં ઘાટીઓમાં સક્રિય થવાથી પહેલા જ તેમને ન્યૂટ્રલાઇઝ કરી દેવામાં આવ્યું છે. ભારતીય સેના પોતાના દુશ્મન દેશ પાકિસ્તાનનાં ખરાબ ઇરાદાઓને નિષ્ફળ કરે છે. રાજ્યનાં ડીજીપી દિલબાગ સિંહ અને જમ્મૂ ઝોનનાં ADGP મુકેશ સિંહે આજે 2022ની માહિતી આપી.
છેલ્લા 4 વર્ષોમાં 2022 સૌથી સારું- DGP
DGP દિલબાગ સિંહે કહ્યું કે છેલ્લા 4 વર્ષોમાં 2022 ઘણો સારો રહ્યો છે. સૌથી ઓછાં સક્રિય આંતકવાદીઓની સંખ્યા આ વર્ષમાં પ્રાપ્ત થઇ છે. જૈશ અને લશ્કરની સાથે ટીઆરએફનાં આતંકી ઘાટીઓમાં ગુનાઓ કરવાનાં પ્રયત્નો કરે છે. તેઓને પાકિસ્તાન સપોર્ટ કરે છે.
172 terrorists killed in encounters in Kashmir this year
જમ્મૂ શહેર પણ આતંકવાદીઓનાં નિશાના પર-DGP
DGP એ કહ્યું કે સુરક્ષાબળોની સાથે હવે જમ્મૂ શહેર પણ આતંકવાદીઓનાં નિશાના પર છે. આ વર્ષે ઘણાં CRPF અને પોલીસનાં જવાનો ઘાયલ થયાં છે. પોલીસની કાર્યુવાહી આતંકવાદીઓ અને તેમનો સાથ આપનારા ઓવર ગ્રાઉન્ડ વર્ક્સ પર ચાલુ છે. આતંકીઓનો સાથ આપવા અને તેમને લોજિસ્ટિક ફાળવનારી 50 ગાડીઓને પણ જપ્ત કરવામાં આવી છે. કુલ 649 ઓવર ગ્રાઉન્ડ વર્ક્સની સામે પોલીસે કાર્યવાહી કરી છે. જમ્મૂ-કાશ્મીરનાં DGPએ કહ્યું કે હવે 2023માં 'મિશન ઝીરો ટેરર' ચલાવશું અને કેન્દ્રશાસિત પ્રદેશોને આતંકવાદથી સંપૂર્ણરીતે મુક્ત કરીને જ શ્વાસ લઇશું.
Special Investigation Units (SIU) have been created in every district to deal with UAPA cases: Jammu and Kashmir DGP Dilbag Singh pic.twitter.com/W0GZatMEoc
ઘાટીમાં 93 સફળ ઓપરેશન થયાં-ADGP
ADGP મુકેશસિંહે જણાવ્યું કે આ વર્ષ એટલે કે 2022માં ઘાટીમાં 93 સફળ ઓપરેશન થયાં છે જેમાંથી 42 વિદેશી આતંકવાદીઓ સહિત કુલ 172 આતંકવાદીઓને મારી દેવાયા છે. ADGPએ જણાવ્યું કે આ વર્ષે આતંકવાદીઓને ભરતીમાં 37%નો ઘટાડો થયો છે. સૌથી વધુ 74% આતંકી લશ્કરમાં શામેલ થયાં છે. આ વર્ષે કુલ 65 આતંકવાદીઓની ભરતી થઇ જેમાંથી 58ને સુરક્ષાબળોએ ઢેર કરી દીધેલ છે. આતંકવાદીઓ એન્કાઉન્ટરમાં મારી દેવાયા જ્યારે 17 જેટલાની ધરપકડ કરવામાં આવી જ્યારે 18 આતંકવાદીઓ હાલમાં પણ સક્રિય છે. ADGPએ જણાવ્યું કે નવા આતંકવાદીઓનાં ઘાટીઓમાં સક્રિય થવાથી પહેલા જ તેમને ન્યૂટ્રલાઇઝ કરી દેવામાં આવ્યું છે.