ગાંધી જયંતી પર જમ્મૂ અને કાશ્મીર પ્રશાસને જમ્મૂના કેટલાક નેતાઓને નજરબંધી ખત્મ કરી દીધી છે. કલમ 370 હટાવ્યા પછી સ્થાનીય પોલીસ દ્વારા જમ્મૂમાં ઘણા નેતાઓને નજરબંધ કરવામાં આવ્યા હતા. પૂર્વ મંત્રી અને ડોગરા સ્વાભિમાન સંગઠન પાર્ટીના અધ્યક્ષ ચૌધરી લાલ સિંહને નજરબંધ કરવામાં આવ્યા હતા.
જમ્મૂ ક્ષેત્રથી નજરબંધ થનારા પહેલા નેતા હતા ચૌધરી લાલ સિંહ
5 ઓગસ્ટના કલમ 370 હટાવી દેવામાં આવી હતી
જમ્મૂમાં નજરબંધ તમામ વિપક્ષી દળોના નેતાઓ પરથી નજરબંધી હટાવી દેવામાં આવી છે, જે નેતાઓ પરથી નજરબંધી હટાવવામાં આવી છે તેમાં નેશનલ કોન્ફરન્સ, કોંગ્રેસ , પૈથર્સ પાર્ટીના નેતા શામેલ છે.
ડોગરા સ્વાભિમાન સંગઠન પાર્ટીના અધ્યક્ષ ચૌધરી લાલ સિંહના સિવાય જે પાર્ટીના નેતાઓ પરથી નજરબંધી હટાવવામાં આવી છે, તેમાં નેશનલ કોન્ફરન્સના દેવેન્દ્ર રાણા અને એસએસ સાલાથિયા, કોંગ્રેસના રમન ભલ્લા અને પૈથર્સ પાર્ટીના હર્ષદેવ સિંહનું નામ શામેલ છે. આ નેતાઓને 5 ઓગસ્ટથી નજરબંધ કરી દેવામાં આવ્યા છે.
કેન્દ્ર સરકારે 5 ઓગસ્ટના મોટો નિર્ણય કરતા જમ્મૂ-કાશ્મીરનો વિશેષ રાજ્યનો દરજ્જો ખત્મ કરી દીધો છે અને રાજ્યના 2 ભાગમાં વહેંચતા કલમ 370 હટાવી દેવામાં આવી છે. સરકારના આ નિર્ણયની સાથે જ રાજ્યના ઘણા વિપક્ષી નેતાઓને નજરબંધ કરી દેવામાં આવ્યા છે.
કલમમ 370 પર નિર્ણય પછી સ્થાનીય પોલીસની દેખરખમાં પૂર્વ મંત્રી અને ડોગરા સ્વાભિમાન સંગઠન પાર્ટીના અધ્યક્ષ ચૌધરી લાલ સિંહને નજરબંધ કરી દીધા હતા. લાલ સિંહ પહેલા જમ્મૂના નેતા છે, જેણે નજરબંધ કરવામાં આવ્યા. ચૌધરી લાલ સિંહને જમ્મૂના ગાંધીનગરમાં તેમના સરકારી આવાસથી નીકળવા માટેની પરવાનગી નહતી આપવામાં આવી.
માત્ર જમ્મૂ જ નહી કાશ્મીરના ઘણા નેતાઓને નજરબંધ કરી દેવામાં આવ્યા હતા. જેમાં પૂર્વ મુખ્યમંત્રી મહબૂબા મુફ્તી, ઓમર અબ્દુલ્લા સહિત અન્ય નેતા શામેલ હતા. ત્યારે નેશનલ કોન્ફરન્સના વરિષ્ઠ નેતા ફારુક અબ્દુલ્લાએ કહ્યુ કે, કાશ્મીરના ઘાટીમાં લોકોને કેદ કરવામાં આવી રહ્યા છે.