જમ્મૂ-કાશ્મીરને લઇને કેન્દ્રની મોદી સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. ગૃહમંત્રી અમિત શાહે રાજ્યસભામાં જમ્મૂ-કાશ્મીરને લઇને સરકારનો સંકલ્પ પત્ર રજૂ કર્યો. અમિત શાહે કહ્યું કે કાશ્મીરમાં વિશેષ દરજ્જો આપનાર કલમ-370 હટાવી દેવામાં આવ્યો છે. અમિત શાહે કાશ્મીરના પૂનર્ગઠનનો પ્રસ્તાવ રજૂ કર્યો છે.
કેન્દ્રની મોદી સરકારે હવે જમ્મૂ-કાશ્મીરને કેન્દ્ર શાસિત પ્રદેશ બનાવવામાં આવ્યો છે. આ સાથે લદ્દાખને જમ્મૂ-કાશ્મીરથી અલગ કરી દેવામાં આવ્યું છે. જમ્મૂ-કાશ્મીરને બે ભાગમાં અલગ કરી દેવામાં આવ્યું છે. ગૃહમંત્રી અમિત શાહે રાજ્યસભામાં કહ્યું કે જમ્મૂ-કાશ્મીરમાં કેન્દ્ર શાસિત પ્રદેશ હશે જેમાં વિધાનસભામાં ચૂંટણી થશે. આમ હવે જમ્મૂ-કાશ્મીરમાં હવે દિલ્હીને જેમ વિધાનસભાની જેમ અને લદ્દાખ, ચંદીગઢની જેમ વિધાનસભા વિહીન કેન્દ્રશાસિત પ્રદેશ બનશે. જમ્મૂ-કાશ્મીરમાં હવે તિરંગો લહેરાવાશે.
જમ્મૂ-કાશ્મીરમાંથી 370 કલમ હટાવ્યા બાદ શું?
જમ્મૂ-કાશ્મીરમાંથી 370 કલમ હટી ગયા બાદ હવે અન્ય રાજ્યોની જેમ જમ્મૂ કશ્મીરમાં કેન્દ્રના કાયદા લાગૂ થશે.
સંઘ અને સમવર્તી યાદી હેઠળ આવનારા વિષયો પર કેન્દ્રનો કાયદો લાગૂ પડશે.
જેમાં નાગરિકતા, મિલકત અને મૌલિક અધિકાર કેન્દ્ર સરકારના અધિકારી ક્ષેત્રમાં આવી જશે.
કોઈ કાયદો બનાવતાં પહેલા રાજ્ય સરાકારની અનુમતી નહી લેવી પડે.
જમ્મૂ-કાશ્મીરમાં અન્ય રાજ્યના નાગરિકો જમીન ખરીદી શકશે.
રાજ્યના નાગરિકો પાસે હવે માત્ર ભારતની નાગરિકતા રહેશે.
જમ્મૂ-કાશ્મીરમાં અન્ય રાજ્યના નાગરિકો પણ સરકારી નોકરી મળશે.
જમ્મૂ-કાશ્મીર હવે દિલ્હી જેવું રાજ્ય બની જશે...
મોદી સરકારના આ નિર્ણય બાદ જમ્મૂ-કાશ્મીરને બીજા રાજ્ય જેમ વધારે અધિકાર પૂર્ણ જ નહી પરંતુ ઓછા પણ કરી દેવામાં આવ્યાં. જમ્મૂ-કાશ્મીર હવે દિલ્હીની જેવું રાજ્ય બની જશે. જમ્મૂ-કાશ્મીરમાં હવે ચૂંટણી થશે અને સરકાર પર બનશે, પરંતુ રાજ્યપાલ અંતિમ નિર્ણય લેશે. દિલ્હીની જેમ જે પ્રકારે સરકારે બધી મંજૂરી ઉપરાજ્યપાલ પાસેથી લેવી પડે છે તેમ જમ્મૂ-કાશ્મીરમાં પણ એ રીતની સરકાર બનશે.
ભારતીય સંવિધાન લાગૂ થશે
મોદી સરકારના નિર્ણય બાદ હવે ભારતીય સંવિધાન સંપૂર્ણ રીતે લાગૂ થશે. જમ્મૂ-કાશ્મીરનું હવે પોતાનું અલગ સંવિધાન નહી હોય. કાશ્મીરમાં અત્યાર સુધી જે વિશેષાધિકાર મળતો હતો , તેની હેઠળ ઇમરજન્સી લાગુ કરી શકાશે નહીં.
જમ્મૂ-કાશ્મીરમાં વિધાનસભાના કાર્યકાળનો સમય બદલાશે
અત્યાર સુધી કલમ-370 હેઠળ જમ્મૂ-કાશ્મીર વિધાનસભાનો કાર્યકાળ 6 વર્ષનો હતો. પરંતુ હવે દેશના અન્ય રાજ્યની જેમ પાંચ વર્ષનો વિધાનસભા કાર્યકાળ રહેશે. તે સિવાય જમ્મૂ-કાશ્મીરમાં મત આપવાનો અધિકાર માત્ર સ્થાનિક નાગરિકનો હતો. બીજા રાજ્યના લોકો અહીં મત ન આપી શકે અને ચૂંટણીમાં ઉમેદવાર પણ ના બની શકે. હવે સરકારના નિર્ણય બાદ ભારતના નાગરિક મતદારો અને ઉમેદવાર બની શકશે.