જમ્મુ-કશ્મીરનાં પુંછ જિલ્લાનાં મેંઢરમાં 12 મદ્રાસ રેજિમેંટનાં એક ગશ્તી દળ ડેરા ડબસીથી પસાર થઇ રહ્યું હતું ત્યારે એ જ દરમ્યાન બ્લાસ્ટ થયો. આ વિસ્ફોટમાં આઠ સૈનિકોને ઇજા થઇ ગઇ. તમામને સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યાં. અહીં એક જવાને તો પોતાનો દમ તોડી દીધો.
જમ્મુ-કશ્મીરનાં પુંછ જિલ્લાનાં મેંઢર વિસ્તારમાં બુધવારનાં રોજ આજનાં દિવસે આઇઇડી બ્લાસ્ટ થયો. આ બ્લાસ્ટમાં એક જવાન પણ શહીદ થઇ ગયેલ છે. જ્યારે 8 જવાનો ઘાયલ થયાના સમાચાર છે. તમામ ઘાયલ જવાનોને એર લિફ્ટ કરીને ઉધમપુર બેસ હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યાં છે.
રિપોર્ટ અનુસાર, 12 મદ્રાસ રેજિમેંટનાં એક ગશ્તી દળ ડેરા ડબસીથી પસાર થઇ રહ્યું હતું ત્યારે એ જ દરમ્યાન બ્લાસ્ટ થયો. આ વિસ્ફોટમાં આઠ સૈનિકોને ઇજા થઇ ગઇ. તમામને સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યાં. અહીં એક જવાને તો પોતાનો દમ તોડી દીધો. એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ સેનાનાં એક જવાનનું મોત અને આઠ અન્યનાં ઘાયલ થયાંની પુષ્ટિ કરી છે. જો કે હાલમાં સેનાનાં અધિકારી આ બ્લાસ્ટની તપાસ કરી રહ્યાં છે.
પુલવામામાં એસબીઆઇ પાસે ગ્રેનેડ એટેકઃ
આ પહેલાં દક્ષિણી કશ્મીરનાં પુલવામા જિલ્લામાં SBI પાસે સુરક્ષાદળોને નિશાન બનાવીને આતંકીઓએ મંગળવારનાં રોજ મોડી સાંજનાં ગ્રેનેડ એટેક કર્યો. જો કે, ગ્રેનેડ બેંકની દિવાલથી ટકરાવીને ફાટી જવાથી કોઇ પણ પ્રકારનું નુકસાન નથી થયું.
તમને જણાવી દઇએ કે આતંકીઓએ પહેલાં ગ્રેનેડ ફેંક્યો. ત્યાર બાદ અંધાધુંધ ફાયરિંગ કર્યુ. ગોળીબારીનો જવાબ આપ્યા બાદ આતંકી મોકાથી ભાગી નીકળ્યાં. ઘટનાનાં તત્કાલ બાદ સુરક્ષાદળોએ પૂરા વિસ્તારને ઘેરીને તપાસ અભિયાન હાથ ધર્યુ. જો કે, આને વિશે હજી પોલીસ તરફથી કોઇ જ અધિકૃત જાણકારી આપવામાં નથી આવી.