ગુલામ નબી આઝાદએ જણાવ્યું કે કાશ્મીર આવતા પહેલા એનએસએ અજીત ડોભાલ અને ગૃહમંત્રી અમિત શાહને મળ્યા નહોતા.
ગુલામ નબી આઝાદને મળ્યો ધમકીભર્યો પત્ર
લશ્કર-એ-તૈયબાના એક સંગઠને સો.મીડિયા પર મોકલ્યો પત્ર
આઝાદે કહ્યું કાશ્મીર આવતા પહેલા અમિતને નથી મળ્યો
ગુલામ નબી આઝાદ વિરુદ્ધ આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબાના એક ભાગ 'ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ' દ્વારા સોશિયલ મીડિયા પર એક ધમકીભર્યો પત્ર સામે આવ્યા બાદ, આઝાદે દક્ષિણ કાશ્મીરના અનંતનાગ જિલ્લામાં જવાબ આપ્યો, "મારું નામ આઝાદ છે અને મારા વિચારો પણ આઝાદ છે." 'ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ'ના આરોપોને નકારતા તેમણે કહ્યું હતું કે કાશ્મીર આવતા પહેલા એનએસએ અજીત ડોભાલ અને ગૃહમંત્રી અમિત શાહને મળ્યા નહોતા.
પત્રમાં આવું દર્શાવ્યું છે
વાસ્તવમાં ધમકીભર્યા પત્રમાં જણાવવામાં આવ્યું છે કે આઝાદની એન્ટ્રી જમ્મુ-કાશ્મીરમાં અચાનક નહીં, પરંતુ તે એક સુનિયોજિત કાર્યક્રમનો ભાગ છે, આ યોજના તેમની અગાઉની પાર્ટી દરમિયાન બનાવવામાં આવી હતી, ઘાટીમાં આવતા પહેલા આઝાદે અમિત શાહ સાથે બેઠક કરી હતી અને કેટલાક વિશ્વસનીય સૂત્રોનું એમ પણ કહેવું છે કે એનએસએ ડોભાલને પણ બેઠકમાં બોલાવવામાં આવ્યા હતા.
હું મારા જીવનમાં ક્યારે ડોભાલને નથી મળ્યો
આ આરોપ પર જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ગુલામ નબી આઝાદે કહ્યું, "મેં હમણાં જ સાંભળ્યું છે કે મારી વિરુદ્ધ આતંકવાદીઓ તરફથી ધમકીભર્યો પત્ર આવ્યો છે." તેમને જણાવ્યું કે, કાશ્મીર આવતા પહેલા અમિત શાહ અને ડોભાલને નથી મળ્યો, હું મારા જીવનમાં ડોભાલને ક્યારે નથી મળ્યો, હું અલ્લાહના સોગંદ ખાઉં છું." આઝાદ પોતાનો નવો રાજકીય પક્ષ રચવા માટે જમ્મુ-કાશ્મીરમાં છે અને જમ્મુ-કાશ્મીરના વિવિધ જિલ્લાઓમાં અવારનવાર રેલીઓ કરી રહ્યા છે.
આતંકવાદીઓ ને કરી અપીલ
ગુલામ નબી આઝાદે આતંકીઓને હથિયાર છોડીને મુખ્ય ધારામાં સામેલ થવાની અપીલ કરી હતી.તેમણે કહ્યું કે બંદૂક કોઈ પણ સમસ્યાનું સમાધાન નથી. "જેમણે બંદૂકો ઉપાડી છે, હું તેમને અપીલ કરું છું કે બંદૂકો વિનાશ લાવે છે, ઉકેલ નહીં. ભારત સૌથી મોટું લોકતંત્ર છે. આ ગાંધીનો દેશ છે. જે લોકો પહાડો સાથે માથું ભટકાવે છે તેઓ કચડાઈ જશે અને પહાડોને કશું જ નહીં થાય."